________________
૯
(૨) ભૂમિકા - ધર્મની સ્થાપના
તો વળી કેટલાક આત્માઓ, જ્ઞાનસાધનામાં વિશેષ પુરુષાર્થ કરી વિશિષ્ટજ્ઞાન પ્રાપ્ત કર્યું, અનેક લબ્ધિઓ અને સિદ્ધિઓ પણ મેળવી, પરંતુ સર્વાંગીણ સાધના માર્ગમાં કાંક ગંભીર ખામીને કારણે મોક્ષમાર્ગમાં આગળ ન વધી શકયા, એટલે કે (૧) સર્વશ કથિત વસ્તુતત્ત્વની શ્રદ્ધાનો અભાવ, (૨) અભિમાનને કારણે મિથ્યા આગ્રહ અથવા (૩) ભૌતિક સુખોની તીવ્ર આસકિત ઇત્યાદિ, મિથ્યાત્વ મોહકર્મ જનિત આત્માની આ ત્રણેય આંતરિક મલિનતાને કા૨ણે સુવિશુદ્ધ સાધના માર્ગનું અનુસરણ ન કરી શકયા તેથી સંસારભ્રમણ કરનારા થયા છે. દા.ત. (૧) તામલી તાપસ જેવા બાલ તપસ્વીઓ વિગેરે (૨) જમાલિમુનિ વિગેરે નિહ્નવના જીવો તેમજ (૩) ધર્મના ફળ તરીકે ભૌતિક સુખોની પ્રાર્થના કરનારા ચક્રવર્તિ અને વાસુદેવના જીવો વિગેરે, આવા જીવો સાધના કરવા છતાં સંસાર-પરિભ્રમણ કરનારા થયા. આવું શાસ્ત્રવચન છે. સાર એ જ છે કે, પૂર્ણ જ્ઞાન મેળવવા માટે શ્રી તીર્થંકરભગવાને બતાવેલા મોહના નાશ માટેની જ સાધના કરવી.
શ્રી તીર્થંકરભગવાન મહાવીરસ્વામિ ૩૦ વર્ષની વયે સંસાર ત્યાગ કરી કેવળ આંતર જગતમાં લીન બન્યા. બાહ્ય દુઃખોને ગણકાર્યા વિના સુખદુઃખ, જીવનમરણ, સ્વ-૫૨ ઇત્યાદિ દ્વન્દ્વો (જોડકા) પ્રત્યે સમાનવૃત્તિ કેળવી, બહારના વિશ્વમાં રહેવા છતાં પોતાની ચેતનાનું આંતરિક શુદ્ધચેતના સાથે બહુચુસ્ત જોડાણ કર્યું. ૧૨ વર્ષ ૬ મહિના અને ૧૫ દિવસમાં આંતરિક શુદ્ધચેતનાને એટલી શક્તિશાળી બનાવી કે, તેના દ્વારા મોહકર્મ, અને જ્ઞાનગુણના આવરણકર્મને મૂળથી આત્મામાંથી ઉખેડી પરિપૂર્ણજ્ઞાન અને પરિપૂર્ણ શુદ્ધચેતના પ્રાપ્ત કરી. પોતાની વિશિષ્ટ યોગ્યતાના પ્રભાવે તીર્થંકરપદવી પ્રાપ્ત કરી અતિશયવંત બન્યા. દેવ દાનવોથી પૂજિત થયા. તેમણે પ્રયોગશાળા – વેધશાળા જેવા બાહ્ય સાધનોનો ઉપયોગ કર્યા વિના કેવલ આત્મિકસાધનાથી જે જાણ્યું