________________
(૫૮) સૂત્ર-૩૮ - કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા
૩૩૯ નિશ્ચયથી તે પદાર્થ કહેવાય છે. જેમાં નિશ્ચયના પદાર્થના સ્વરૂપનો અંશ હોય, તેની સાથે સંબંધિત થતું હોય, કે બાહ્યથી તે મૂળસ્વરૂપ જેવું જણાતું હોય, કે મૂળસ્વરૂપ સુધી પહોંચવામાં કારણ બનતું હોય, તેવા પદાર્થમાં મૂળનો ઉપચાર થતો હોય છે. તેને વ્યવહારથી તે પદાર્થ કહેવાય છે. દા.ત. સંસારી અશુદ્ધ આત્મામાં જેટલા અંશે મલિનતા ઘટે અને શુદ્ધિ પ્રગટે તેટલા અંશે તેને નિશ્ચય ધર્મ કહેવાય. અને તેનું કારણ જે ધર્મની ક્રિયાઓ, અનુષ્ઠાનો, તપ, ભક્તિ વિગેરે વ્યવહારધર્મ
કહેવાય.
એકાગ્રતા વિગેરેથી કરાતી શુદ્ધક્રિયાઓમાં, આત્માની શુદ્ધિરૂપ જે નિશ્ચયધર્મ છે, તેનો અંશ પડેલો છે, અથવા તે શુદ્ધિને પ્રાપ્ત કરવામાં ક્રિયાઓ મહત્ત્વનું કારણ બને છે, માટે તે ક્રિયાઓમાં શુદ્ધિરૂપ નિશ્ચય ધર્મનો ઉપચાર કરીને તેને વ્યવહારધર્મ કહેવાય છે. આવી રીતે
વ્યવહાર નિશ્ચય’ શબ્દો વપરાય છે. હવે કાળનો વિષય જોઈએ. નિશ્ચય કાળ:
નિશ્ચયકાળ માત્ર વર્તમાન એક સમય સ્વરૂપે છે. ભૂતકાળ અનંત થઈ ગયો અને ભવિષ્ય અનંત થશે. પરંતુ અત્યારે વર્તમાન છે, તે જ નિશ્ચયકાળ છે. નિશ્ચયકાળ સર્વદ્રવ્યોમાં સર્વત્ર વ્યાપ્ત છે, તે સર્વદ્રવ્યોનો વર્તતો પર્યાય છે. તે વર્તમાન છે. અસ્તિત્વનો આધાર છે. એટલે લોકાલોક સર્વવ્યાપી સર્વત્ર છે. ભૂતકાળ, વર્તમાનરૂપે થઈ ગયો છે. અને ભવિષ્ય, વર્તમાનરૂપે થવાનો છે. એ રીતે તે બંને નિશ્ચય (વર્તમાન)ની સાથે સંબંધિત થાય છે. માટે તેને વ્યવહારકાળ ગણાય છે. આ રીતે સ્યાદ્વાદદ્વારા વિભાગ કરવાથી કાળના સ્વરૂપ વિષે વધુ સ્પષ્ટતા થાય છે. કાળની ગણના જે થાય છે. તે આપણે નક્કી કરેલી સંજ્ઞાઓ દ્વારા થાય છે.