________________
૩૩૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કાળ સજીવ, અને ૪ અજીવનો કાળ અજીવ. માટે આગમ ગ્રંથોમાં કાળને જીવાજીવ કહ્યો છે. શ્રીજીવાભિગમ આગમનો પાઠ આ લેખમાં જોયો. આ રીતે કાળ એ વિલક્ષણ દ્રવ્ય છે. તે સમજવા યોગ્ય છે. -> કાળના કાર્ય દ્વારા, કાળને સમજી શકાય છે.
આપણે સૂત્ર-૨૨ લેખાંક-૬૬માં કાળના કાર્ય તરીકે, (૧) વર્તના (૨) પરિણામ, (૩) ક્રિયા અને (૪) જૂનું નવું (કે વયમાં નાનો મોટો) વિગેરે વાત જોઈ આવ્યા છીએ. એટલે કે, (૧) વસ્તુનું અસ્તિત્વ (૨) રૂપાંતર તેમજ (૩) ગતિક્રિયા પણ, કાળવિના ન સંભવે. દા.ત. એક વસ્તુ એક સ્થળે જે કાળે સ્થિર હોય, તે જ વસ્તુ બીજા સ્થળે ગતિ કરશે ત્યારે સમય પસાર થઈ ગયો હશે, સમય જો સ્થિર હોય તો ગતિ ન સંભવે. તેમ જ (૪) આ ૫ વર્ષનો, અને આ ૨૦ વર્ષનો, આવો વ્યવહાર પણ કાળના કારણે જ સંભવે છે. કાળ સ્થિર થઈ જાય, હોય જ નહિ તો કોઈની ઉંમર વધે જ નહિ. પરંતુ એવું નથી, તેથી નાના-મોટા કે નવું-જૂનું વિગેરે કાળને કારણે જ સંભવે છે. આ રીતે આ ચાર કાર્યોદ્વારા કાળને સમજી શકાય છે. વ્યવહાર કાળ :
શાસ્ત્રોમાં અઢીદ્વીપમાં સૂર્ય, ચંદ્રની ગતિના કારણે કાલની ગણના, કે વિભાગો, કે કાળનું પ્રમાણ (માપ જથ્થો) નક્કી થાય છે. તેને વ્યવહારકાળ કહ્યો છે. નિશ્ચયકાળ તો માત્ર વર્તમાન છે. તે એક જ છે. માટે નિશ્ચયકાળના પ્રદેશો માન્યા નથી, આ વિષયમાં જે વ્યવહાર અને નિશ્ચય શબ્દ વપરાયા છે. તેનો અર્થ સમજી લઈએ તો આ કાળના બે સ્વરૂપ સમજવામાં સુગમતા રહેશે. » વ્યવહાર અને નિશ્ચયઃ (જુઓ પૃ. ૩૧૯)
વસ્તુનું મૂળ, કે આંતરિક, કે સારભૂત, કે શુદ્ધસ્વરૂપ હોય તેને