________________
૩૩૭
(૫૮) સૂત્ર-૩૮ - કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા
कइ णं भंते दव्वा पण्णत्ता ? गोयमा ! छ दव्वा पण्णता धम्मत्थिकाए जाव अद्धासमये ।
અર્થ - પ્ર. હે પ્રભુ ! કેટલા દ્રવ્યો કહેલા છે? ઉ. છ દ્રવ્યો કહેલા છે. ધર્માસ્તિકાયથી કાળ સુધી.
પ્રકૃત તત્વાર્થ સૂત્રકારે પણ અપેક્ષાએ કાળને દ્રવ્ય તરીકે સ્વીકાર્યું છે. તેથી શ્રી ભગવતીજી સૂત્રના વચનો સાથે પણ બાધ આવતો નથી. પરંતુ કાળને ઉપચારથી જ દ્રવ્ય માનવું સૂત્રકારને ઇષ્ટ છે. પ્રસ્તુત ગ્રંથના મૂળસૂત્રો (અજીવકાયના તેમજ દ્રવ્યના સૂત્રોમાં કાળને ગણાવ્યો નથી. વળી લોકાકાશમાં બાકીના ચાર દ્રવ્યોનો જ અવગાહ જણાવ્યો, કાળનો નહિ. વળી કાળના અણુઓ(પ્રદેશો)નો સૂત્રોમાં ક્યાંય ઉલ્લેખ નથી.
દિગંબર સૂત્રોમાં પ્રસ્તુત સૂત્રના સ્થળે ત્નિશ તેમ કહીને કાળને સ્વતંત્ર દ્રવ્ય જણાવ્યું છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે, “પર્યાયવેત્ દ્રવ્યમ્' દ્રવ્યનું આ લક્ષણ, જો તેમાં ઘટતું હોય, તો કાળને અલગ દ્રવ્ય ઠરાવનારું જુદું સૂત્ર રચવાની જરૂર કેમ પડી? - કાળ બધાનો કોમન હોય છે, કોઈનો પ્રાઇવેટ નહિ?
કાળ બાકીના પાંચેય દ્રવ્યો સાથે જોડાયેલો છે. પાંચેય દ્રવ્યના અસ્તિત્વમાં કાળ આધાર છે. ચક્રની ધરી, ચક્રને આધાર આપે છે, અને તેની ગતિમાં પણ તે જ આધાર છે. તેમ પાંચેય દ્રવ્યના અસ્તિત્વનો અને પરિવર્તન આદિ-૪નો, કાળ એ આધાર છે. માટે ગ્રંથોમાં પાંચે ય દ્રવ્યનો સર્વસામાન્ય પર્યાય, એ કાળ છે, તેમ જણાવ્યું છે.
કાળ એક એક દ્રવ્યનો અલગ નથી, તેથી સર્વસામાન્ય કહ્યો છે. “મારા ૨૫ વર્ષ થયા અને તમારા ૫૦ વર્ષ થયા.' આવું એક વ્યક્તિ બીજાને કહે ત્યારે બીજાના ૫૦માં, ૨૫ કોમન (બંનેના સાધારણ) હોય છે, જુદા (Private) નથી હોતા. તે રીતે કાળ પાંચેયનો કોમન છે. જીવનો