________________
उ४०
જેન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન - કાળ, પાંચ દ્રવ્ય જેવું, સ્વતંત્ર દ્રવ્ય નથી:
જેવી રીતે એક માઈલ, બે માઈલ વિગેરે ક્ષેત્રના માપને આપણે એક સાથે પ્રગટ દર્શાવી શકીએ છીએ. પુદ્ગલના અમુક જથ્થાને પણ એકસાથે જોઈ જાણીને પ્રત્યક્ષ કરી શકીએ છીએ. તેવી રીતે આ એક મિનિટ, આ કલાક, વિગેરે એકસાથે પ્રગટ રીતે દર્શાવી શકાતા નથી. વર્તમાન કાળને જ આપણે અનુભવી શકીએ છીએ, અરૂપી હોવાથી જોઈ શકતા નથી. ભૂતકાળ નષ્ટ થયેલો છે. ભવિષ્યકાળ ઉત્પન્ન થવાનો બાકી છે. બંનેમાંથી એકેય વર્તમાનમાં વિદ્યમાન નથી. ભૂતકાળ અને ભવિષ્ય કાળના ઘણા સમૂહને એક સાથે પ્રત્યક્ષ કરી શકાતો નથી, કે અનુભવી શકાતો નથી. તેથી જ કાળને અસ્તિકાય (ભૂતકાળ અને ભવિષ્યકાળના ઘણા પ્રદેશોનો સમૂહ) નથી કહ્યો. પાંચ જ અસ્તિકાય કહ્યા છે. બુદ્ધિની કલ્પનાથી પસાર થયેલા ભૂતકાળના સમયોને એકઠાકલ્પી, “એક કલાકથી હું અહીં બેઠો છું.” “આ ૫૦ વર્ષનો છે.” વિગેરે વ્યવહાર કરીએ છીએ. લોકમાં આવા વ્યવહારો કરવામાં તે અતિ ઉપયોગી બને છે, તે દૃષ્ટિએ વ્યવહારકાળને માન્યો છે. જે વસ્તુ જે રીતે છે તેનો અપલાપ કેવી રીતે થઈ શકે ? તેના માપ અને તેના કાર્ય, જાણે સ્વતંત્રદ્રવ્ય હોય તે રીતે દર્શાવ્યા છે, પરંતુ પાંચ દ્રવ્યોના જેવું સ્વતંત્ર દ્રવ્ય માન્યું નથી.
સમય એ એક એવી વસ્તુ છે, જે બધી વસ્તુને એકસાથે ઘટવાથી રોકે છે (રેકમિડેસ)
- જે રીતે સમયથી તૂટેલા હાથ અને પગ જોડાઈ જાય છે. તે રીતે સમયની સાથે તૂટેલું દિલ પણ જોડાઈ જાય છે. (જિમોનસન)