________________
૩૩૫
(૫૮) સૂત્ર - ૩૮ - કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા કેવી રીતે જાળવી શકીએ?
જે કંઈ અસ્તિત્વ અનુભવીએ છીએ, પરિવર્તન થાય છે, આ ઝડપથી થયું, આ ધીમું થયું, ઘણો સમય થઈ ગયો, ઇત્યાદિ સઘળું આપણે જે અનુભવીએ છીએ તે કાળના કારણે જ અનુભવી શકીએ છીએ. કાળ વિનાનું વિશ્વ જ કલ્પી ન શકાય. કાળ ન હોય તો બધું એક સાથે અલોપ થઈ જાય. પરંતુ કાળ ન હોય તેવું બનવાનું નથી અને બન્યું પણ નથી. કાળ હતો, છે, અને રહેવાનો છે.
કાળ વિશ્વવ્યવસ્થામાં જરૂરી તત્વ છે. પરંતુ કાળ કેવો છે? તેને સમજાવવો અઘરો છે. કોઈ જટિલ વસ્તુને સમજાવવા જૈનતત્ત્વજ્ઞાનની સ્યાદ્વાદશૈલી વસ્તુના સ્વરૂપને બહુ સ્પષ્ટ કરી આપે છે. શબ્દોની મર્યાદામાં કાળનું સ્વરૂપ પણ જેટલું સ્પષ્ટ કરી શકાય તેટલું મોટેભાગે કોઈ તત્ત્વજ્ઞાનમાં, કે ચિંતનમાં સ્પષ્ટ કરેલું નહિ મળે. પ્રસ્તુત સૂત્રની શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકામાં જણાવ્યું છે કે,
कलनं कालः प्रतिविशिष्टपर्यायोत्पादसंख्यानम्, कल्पते वाऽनेन वस्तित्वति कालः।
અર્થ - થવું તે કાળ, દરેક પર્યાયોનું ઉત્પન્ન થવું તે કાળ, અથવા જેના વડે વસ્તુ જણાય, તે કાલ (વસ્તુનું થવું, હોવું એ કાળ.) પાંચે ય દ્રવ્યનો સર્વસામાન્ય પર્યાય, તે નિશ્ચય કાળ:
કાળ દ્રવ્યરૂપ છે કે, ગુણ-પર્યાયરૂપ છે, તેમાં મતભેદ છે. તેનું વર્ણન આ સૂત્રમાં છે.
શ્રી જીવાભિગમ સૂત્રમાં કાળને જીવાજીવ કહ્યો છે.
किमियं भंते कालो ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा વેવા