________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(૫૮) સૂત્ર - ૩૮ :- · કાળનું સ્વરૂપ અને વ્યાખ્યા
૩૩૪
-
->
કાળ વિનાનું વિશ્વ કલ્પી ન શકાય. બધું અલોપ થઈ જાય.
કાળ બધાનો કોમન હોય છે. કોઈનો પ્રાઇવેટ નહિ.
→> કાળના કાર્ય દ્વારા કાળને સમજી શકાય છે.
→ સૂર્ય, ચંદ્રના કારણે જણાતો દિવસ, માસ વિગેરે વ્યવહાર કાળ છે.
→ વર્તમાન સૂક્ષ્મતિસૂક્ષ્મ એક સમય, તે નિશ્ચય કાળ છે.
->
કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી.
कालश्चेत्येके ॥ ३८ ॥
અર્થ : કેટલાક આચાર્યો કાળને પણ દ્રવ્ય કહે છે.
→ કાળ વિનાનું વિશ્વ કલ્પી ન શકાય, બધું અલોપ થઈ જાય. (પૃ.૨૬૧
૬)
પાંચ દ્રવ્યોનું વર્ણન કરીને, હવે કાળનું વર્ણન કરે છે. કાળ વિના આ જગતનું અસ્તિત્વ સંભવી ન શકે. તમે વિચારો, કાળ અટકી જાય તો શું થાય ? બધા એકદમ સ્થિર થઈ જાય, આખુ વિશ્વ સજ્જડ, જકડાઈ ગયું હોય તેવું, ક્રિયાહીન પરિવર્તનો વગરનું, વિવિધતાઓ વગરનું બની જાય. વાસ્તવમાં જોવા જાવ તો કાળ વિના તેનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જાય. આ સ્થિર છે, કે આ વસ્તુ વિદ્યમાન છે, કે હું છું, આવો અનુભવ કરવા માટે પણ થોડા સમયને પસાર થવા દેવું પડે છે. જે સમયે કોઈપણ પદાર્થને જોઈએ છીએ, પછીના સમયે વિચારીએ છીએ, થોડા સમય પછી નક્કી કરીએ છીએ. પરંતુ સમય જો પસાર જ ન થતો હોય, અથવા તો સમય હોય જ નહિ, તો આપણે કે સઘળા પદાર્થો અસ્તિત્વ જ