________________
(૫૭) સૂત્ર-૩૭ - દ્રવ્ય, તેમજ ગુણ અને પર્યાય
૩૩૩ સ્થિર રહે છે, પરંતુ તે બંનેમાં રહેલા પર્યાયો બદલાયા કરે છે. આ સૂત્રમાં તે અંગે વિશેષતા બતાવી કે, દ્રવ્યમાં ગુણો રહે છે, અને સતત બદલાતા રહેતા (ઉત્પત્તિ, નાશ પામનારા) પર્યાયો પણ રહે છે. ગુણ અને પર્યાય એ બંનેનો આધાર દ્રવ્ય છે. ગુણ જેમાં રહે એને ગુણી કહેવાય, માટે દ્રવ્ય = ગુણી, ગુણવાળો. પદાર્થની યથાયોગ્ય વ્યાખ્યા કરવી આધુનિક ચિંતકોને પણ અઘરી લાગે છે.
એડિંગ્ટન જેવા વૈજ્ઞાનિકો અને ખ્યાતનામ આધુનિક ચિંતકોને પદાર્થ (દ્રવ્ય)ની યથાયોગ્ય વ્યાખ્યા યોજવી અશક્ય લાગે છે. વર્તમાન વિશ્વનો નિર્દેશ કરતાં તેઓ કહે છે કે “હું કેવી રીતે વર્ણન કરું ? તે પ્રસરણશીલ છે. અપેક્ષાએ તે સ્થાયી છે, તે અતિશયોક્તિવાળું છે. આ બધા ઉપરાંત તે વાસ્તવિક (Substantial) પદાર્થ છે. વાસ્તવિક કહેવા દ્વારા હું ફકત એટલું જ કહેવા નથી માગતો કે, તે પદાર્થનો બનેલો છે. પરંતુ તે શબ્દ વડે હું તમને તેના આંતરિક સ્વરૂપ વિષે થોડી જાણકારી આપવાનો પ્રયત્ન કરું છું. તે એક વસ્તુ છે, આકાશના જેવી નહિ, જે ફકત અભાવ છે. (આકાશ એ વાસ્તવિક દ્રવ્ય છે, તે સૂત્ર-૧૮માં જોયું) તે કાળના જેવી પણ નથી. જે ભગવાન જાણે શું છે? સાધારણ કોઠા વડે સમજાવી શકાય તેવું તેનું સ્વરૂપ છે તેમ કહીને સમજાવી શકાય, તેનાથી વધારે સારી રીતે સમજાવી શકાય તેવું હું માનતો નથી અને આ પ્રમાણે આપણે ચક્કરમાં ગોળ ગોળ ફરીએ છીએ.”
-- ગુણ અને ગુણી, આ બંનેની પ્રશંસા થાય, પણ દોષ અને દોષીની નિંદા
ન થાય. નિંદા માત્ર દોષની થાય, દોષી પર તો કરુણા જ હોય. > જે માણસ, જે વસ્તુને સારી ન માનતો હોય, તેના પ્રત્યે તેને આસક્તિ ન હોય.
પૂ.આ.વિજયરામચંદ્રસૂ.મ.સા.