________________
(૨) ભૂમિકા - ધર્મની સ્થાપના જોઈને તેને માણવા માટે, તે પુષ્પો મેળવવા ઉત્સુક છે. ઘણા સમયથી નીચે ઊભા ઊભા તે વૃક્ષ ઉપર ચઢવાની મહેનત કરે છે, પણ તે ઊંચા વૃક્ષ ઉપર ચઢવા શક્તિમાન બની શકતા નથી. તેટલામાં કોઈ શક્તિશાળી પુરુષ આવે છે. સઘળા માણસો દેખતા રહે છે, અને તે સડસડાટ વૃક્ષ ઉપર ચઢી જાય છે. અને સુગંધી પુષ્પોને ભેગા કરીને, નીચે ઊભા રહેલા ચઢવાને અસમર્થ ઉપર દયાના ભાવથી, તે વૃક્ષ ઉપરથી પુષ્પોની વૃષ્ટિ કરે છે. જમીન ઉપર પડવાથી પુષ્પોને ધૂળ ન લાગી જાય માટે તે માણસો શુદ્ધ અને પહોળા વસ્ત્રો ઉપર તે પુષ્પોને ઝીલી લે છે. તે પુરુષોમાં કેટલાક સંપૂર્ણ પુષ્પવૃષ્ટિને ગ્રહણ કરી લે છે. તે પછી સર્વ તેનો ઉપયોગ કરી સુગંધને માણી આનંદિત બને છે.
અહીં દષ્ટાંતની ઘટના આ પ્રમાણે છે. તપ-સંયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ છે. સદ્ગતિ અને મુક્તિ, એ પુષ્પ અને તેની સુગંધ છે. ભવ્યાત્માઓને તે જોઈએ છે, પણ તપ સંયમનું પાલન કરવા સમર્થ બનતા નથી. કેટલાક પ્રયત્ન કરે છે પરંતુ પરિપૂર્ણ પાલન કરી શકતા નથી. શક્તિશાળીપુરુષ એટલે તીર્થંકરના આત્મા. તેઓ પૂર્વજન્મોની સાધનાના બળે સંયમ - તપાદિનું પરિપૂર્ણ પાલનકરી કેવલજ્ઞાન પામે છે (વૃક્ષ ઉપર ચડી જાય છે), અને શ્રુતજ્ઞાનરૂપી પુષ્પોની વૃષ્ટિ કરે છે. અન્ય ભવ્યજીવો નિર્મળબુદ્ધિ રૂપી શુદ્ધવસ્ત્રમાં તે શ્રુતજ્ઞાનરૂપી પુષ્પોને ગ્રહણ કરી લે છે. તેમાં વિશિષ્ટબુદ્ધિ (વિશાળ શુદ્ધવસ્ત્ર) વાળા શ્રી ગણધરભગવંતો છે. તેઓ સંપૂર્ણ શ્રુતજ્ઞાન ગ્રહણ કરી લે છે. તેઓ અને અન્યજીવો શ્રુતજ્ઞાનને પ્રાપ્તકરી, જીવનને પવિત્ર બનાવી સદ્ગતિરૂપી પુષ્પો અને મુક્તિરૂપી સુગંધીને પામે છે. આ દૃષ્ટાંતનો સાર છે. અધ્યાત્મ વિનાની જ્ઞાનસાધના શ્રમ આપતો બોજો છે -
આપણા આત્મામાં પડેલી અનંત જ્ઞાનશક્તિનો પૂર્ણવિકાસ કરવા માટે આત્માના રાગ-દ્વેષ આદિ દોષોનો નાશ કરવો તે જ એક પરમ