________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(૨) ભૂમિકા - ધર્મની સ્થાપના
→ અતિશય સામર્થ્યવાળા શ્રી તીર્થંકર ભગવાન. → બીજબુદ્ધિને ધરનારા શ્રી ગણધર ભગવાન.
શ્રી તીર્થંકર અને શ્રી ગણધર ભગવાન ઃ
સર્વજ્ઞ અને વીતરાગ શ્રી તીર્થંકર ભગવાન, કેવલજ્ઞાન પામી ભવિજીવોના પ્રતિબોધ માટે ધર્મશાસન પ્રવર્તાવે છે, સંઘસ્થાપે છે. શ્રી તીર્થંકર પ્રભુની શાનદષ્ટિમાં જગતના સર્વપદાર્થોના સર્વભાવો પ્રતિબિંબિત થયેલા હોય છે. તે સઘળું જાણે છે અને જુએ છે. શ્રી તીર્થંકરપ્રભુ આત્મકલ્યાણ માટે સાધના કરે છે, અને જગતના જીવોને તે માટે જ ઉપદેશ કરે છે. વીતરાગ બની આત્મસ્વરૂપના આનંદને માણવો તે તેમનું ધ્યેય હોય છે. વીતરાગ બનતાં આત્માપરના રાગદ્વેષાદિ દોષો નાશપામતાં શેષ સર્વદોષો પણ નાશ પામે છે. સર્વદોષોના મૂળમાં રાગદ્વેષ મુખ્ય છે. આત્માના તે દોષોનો નાશ થતાં જ, આત્માની અનેકશક્તિઓ માંહેની અનંતજ્ઞાનશક્તિ પણ ખીલી ઊઠે છે. તેઓ પ્રથમ શિષ્ય થનાર ગણધરના જીવોને પ્રતિબોધ કરી દીક્ષા આપે છે, ત્રિપદીપ્રદાન કરે છે. તેના પ્રભાવથી શ્રુતજ્ઞાનના આગમ-શાસ્ત્રોની નવરચના થાય છે. સંઘની સ્થાપના થાય છે. અન્ય ભવ્યજીવો પણ શ્રી શ્રુતજ્ઞાન અને શ્રી સંઘના આલંબનથી સર્વજ્ઞ કથિત સાધના માર્ગમાં જોડાઈને, આત્મકલ્યાણ સાધે છે.
આ વાતને જણાવવા શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપ્યું છે. એક મોટું, ઊંચુ અને ઘટાદાર કલ્પવૃક્ષ છે. તેના પર અનેક પ્રકારના અને પુષ્કળ સુગંધી પુષ્પો છે. ઘણા માણસો આ વૃક્ષ નીચે ઊભા છે. સુગંધી પુષ્પોને