________________
(૧) ભૂમિકા - જૈન તત્ત્વજ્ઞાન શાશ્વત છે. वीराणां सुरासुरनमस्कृतः नीतित्रयस्य कर्ता यो (युगादि प्रथमो जिनः) (નગરપુરાણ, ૧૪મો શતક ભવાવતાર) આ દુનિયાના બધાએ કુળોના બીજભૂત (૧) વિમલવાહન (૨) ચક્ષુષ્માન (૩)યશસ્વી (૪) અભિચન્દ્ર (૫) પ્રસેનજિત (૬)મરુદેવ અને (૭) નાભિ, આ સાત કુલકરો ભરતક્ષેત્રના યુગલધર્મના અંતભાગમાં થયા-આ સાત પછી આઠમાક્રમે (ઋષભદેવ) થયા, જેમને સુર અને અસુર નમ્યા છે, જેમણે અર્થ, કામ અને ધર્મ એ ૩ પ્રકારની નીતિનો રસ્તો બતાવ્યો છે. યુગધર્મની આદિમાં પ્રથમજિન થયા.
વળી ઋષભદેવ અને શિવની એકતા સિદ્ધ કરતી અનેક સાક્ષીઓ છે. રુદ્ર, મહાદેવ, પશુપતિ આદિ નામ ઋષભદેવના સ્વરૂપના જ છે.
ટ્વેદની ઋચામાં, ઋષભને હિરણ્યગર્ભ બતાવ્યા છે. ભગવાન ઋષભદેવ જ્યારે ગર્ભમાં હતા ત્યારે, કુબેરદેવે પિતા નાભિરાજાના ભવનમાં હિરણ્યની વૃષ્ટિ કરી, તેથી જન્મ પછી હિરણ્યગર્ભરૂપે પ્રસિદ્ધ થયા. લોકમાં બ્રહ્માનામથી પ્રસિદ્ધ જે દેવ છે, તે ઋષભદેવ છે. બ્રહ્માના અનેક નામોમાં પ્રજાપતિ લોકેશ, નાભિજ ચતુરાનન ગ્ના સ્વયંભૂ - આ દરેકની સંગતિ ઋષભદેવ સાથે થાય છે. પ્રજાપતિ એટલે, કુંભકાર શિલ્પ વિગેરે વ્યવહારોનો ઉપદેશ આપી પ્રજાની રક્ષા કરી. લોકેશ એટલે - વિશ્વના સ્વામી. નાભિજ એટલે-નાભિરાજાના પુત્ર. ચતુરાનન એટલે -સમવસરણમાં ચારદિશામાં ચારસ્વરૂપ હોય છે. સ્રષ્ટા એટલે, ભોગભૂમિ નષ્ટ થતાં સંસારના વ્યવહારના પ્રવર્તક છે. સ્વયંભૂ, એટલે કોઈના ઉપદેશ વિના બોધ પામી તીર્થકર બને છે. અનુશ્રુતિઓમાં વિષ્ણુના સત્તાવીશ નામ સાર્થક રીતે શ્રી ઋષભદેવમાં ઘટે છે.
- તારે કોણ? તર્યા હોય છે. પોતે જ ડૂબેલા હોય તે બીજાને શું તારે? - દુનિયાનું દુઃખ દૂર થાય એવું કથન શ્રી અરિહંતદેવના વચનસિવાય બીજે ક્યાંય નથી.
- પૂ.આ.શ્રીવિજયરામચન્દ્રસૂ.મ.સા.