SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ (૫૫) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદનો સિદ્ધાંત જ વાત શ્રી વિશેષાવશ્યકમાં ગાથા ર૯૯૫ જણાવી છે. दोहि वि नएहि सत्थमूलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अण्णुण्णनिरक्खेवा ॥ ઉલુક (નૈયાયિક) બંને નયોની માન્યતા પોતાના શાસ્ત્રોમાં રજૂ કરે છે, તો પણ મિથ્યા છે, કારણ કે તે, તે નયના અર્થને જ પ્રધાનપણે માને છે, અને અન્ય નયના મતથી નિરપેક્ષ છે (ઉપર સમજાવ્યું તેમ). આમ અન્યોન્ય નિરપેક્ષપણે એકાંતદર્શનો વર્તે છે. જયારે જૈનમત બંનેને પરસ્પર સાપેક્ષપણે (અમુકનિશ્ચિત અપેક્ષાએ, અમુક નિશ્ચિત અર્થને) સ્વીકારે નૈયાયિક બૌદ્ધાદિ નયવાદીઓ, તે અંશમાત્રમાં સમસ્તની બુદ્ધિ પેદા કરતા હોવાથી જુદા જુદા દરેક નયો મિથ્યાદૃષ્ટિ છે. આ સર્વે નયોનો સમન્વય તે પ્રમાણ છે. સમુદિત થયેલા તે નયો વસ્તુના સમસ્તપર્યાયોનું જ્ઞાન કરાવે છે. તેથી સમ્યગ્દષ્ટિ છે. અન્ય નયોની સાપેક્ષ, એકપણ નય હોય તો પણ તે સમ્યગ્દષ્ટિ છે. જયારે પરસ્પર નિરપેક્ષ ઘણાપણ નયો મિથ્યાદૃષ્ટિ છે. પ્રમાણવાદી પદાર્થમાત્રમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ત્રણ સ્વરૂપો મુખ્યપણે માને, મુખ્યગૌણભાવે નહિ. જ્યારે નયવાદી ત્રણ સ્વરૂપ માને પણ મુખ્યગૌણભાવે. - નિશ્ચયનય અને વ્યવહારનય - (જુઓ પૃ. ૩૩૮) નયોમાં વ્યવહારનય અને નિશ્ચયનય, એમ બે ભેદ પણ બતાવેલા ૮૮ છે. तत्त्वार्थग्राही नयो निश्चयः, लोकाभिमतार्थग्राही व्यवहारः । તત્ત્વાર્થ, એટલે સારભૂત કે મૂળ પદાર્થ, યુક્તિસિદ્ધપદાર્થ વિગેરે. લોકાભિમત, એટલે લોકવ્યવહારમાં પ્રસિદ્ધ પદાર્થ. જે નય મૂળભૂત કે
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy