________________
૩૧૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન -- સુનય અને દુર્નયઃजावन्तो वयणपहा तावन्तो वा नया विसद्दाओ।
જેટલા દૃષ્ટિકોણ તેટલા નયો. તેથી ઉત્કૃષ્ટથી અસંખ્યાત નયો પણ થાય. દરેક નય કોઈએક દષ્ટિકોણથી પોતાનું જે મંતવ્ય છે, તે મુખ્યપણે અને બીજા નયના મંતવ્યને ગૌણપણે સ્વીકારે, તેનો વિરોધ ન કરે, તો તે સુનય કહેવાય છે. અને બીજા નયના મંતવ્યને માને જ નહિ, અપાલાપ કરે તો તે દુર્નય છે.
स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः । स्वार्थग्राही इतरांशप्रतिक्षेपी दुर्नयः ॥
પોતાના અર્થને માને અને બીજાના અર્થને તિરસ્કારે નહિ, ગૌણપણે સ્વીકારે, તે સુનય. પોતાના અર્થને જ સ્વીકારે, અને બીજાના અર્થને તિરસ્કારે, ગૌણપણે પણ માને નહિ, તે દુર્નય.
કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને મળવા જાય ત્યારે મુખ્યપણે તેને સ્વાગત કરી આડંબરપૂર્વક સદ્ભાવ અને પક્ષપાત બતાવે, તે ઉચિત છે. પરંતુ અન્ય પ્રત્યે આવો, બેસો, એટલો પણ આદર ન કરે તો, એ સામાનું અસન્માન-અપમાન છે. તેમાં સજ્જનતા નથી. અન્ય પણ સજજનો છે, તેની ઉપેક્ષા ન હોય. તે રીતે એક નય, બીજા નયના વિચારને ગૌણભાવે પણ ન સ્વીકારે, તો તેની ગણત્રી દુર્ણયમાં થાય.
અન્યદર્શનો પણ પોતાના મંતવ્યોમાં નયની માન્યતા જ રજૂ કરે છે. છતાં તેઓને મિથ્યાદર્શન કહ્યા છે. કારણ કે તેઓની માન્યતા આગ્રહવાળી છે. તે તે નયના વિષયમાં, તે સામા નયની માન્યતાને જરા પણ મચક નથી આપતો. નૈયાયિકદર્શન, આકાશ, આત્મા વિગેરેને સર્વથા નિત્ય માને છે. જ્યારે ઘટ, પટાદિ પદાર્થોને સર્વથા અનિત્ય માને છે. આ મુજબ, દ્રવ્યાર્થિક નય અને પર્યાયર્થિક નય, બંને નયની માન્યતાને રજૂ કરે છે. છતાં નિરપેક્ષપણે માને છે, માટે તે મિથ્યા છે. આ