________________
(૫૫) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત
(૫૫) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત
૩૧૭
નયવાદ :- ‘સ્યાદ્વાદ,' ને ‘અનેકાન્તવાદ', ‘અપેક્ષાવાદ,’ કે
‘નયવાદ’ પણ કહેવાય છે.
→ સુનય અને દુર્રય
→ નિશ્ચયનય અને વ્યવહારનય.
(અર્પિતાનર્પિત સિદ્ધે: રૂશા)
→ નયવાદ :- સ્યાદ્વાદને, અનેકાન્તવાદ, અપેક્ષાવાદ, કે નયવાદ પણ કહેવાય છે :
સ્યાદ્વાદનો સિદ્ધાંત કોઈપણ વસ્તુના દરેક પાસાને યથાર્થ રીતે ઓળખાવનાર છે. દરેક વસ્તુના અનેક નહિ પરંતુ અનંત પાસા, ધર્મો કે અવસ્થાઓ હોય છે. તેમાંથી કોઈપણ એક જ પાસાને સ્વતંત્ર રીતે સમજવા તેને નય કહેવાય.
अनन्तधर्माध्यासितं वस्तु एकेन नयेन नयन्ति इति नया:
અર્થ :- અનંત ગુણધર્મ(અવસ્થાઓ)વાળી વસ્તુને, એક જ દૃષ્ટિકોણ વડે ઓળખાવે તે નય. એટલે સ્યાદ્વાદને નયવાદ', ‘અપેક્ષાવાદ’ કે ‘અનેકાન્તવાદ’ પણ કહેવાય છે. જેને એક જ અન્ન (છેડો, દૃષ્ટિકોણ, મત) નથી પણ અનેક છેડા છે, તે અનેકાન્તવાદ. સ્યાદ્વાદમાં સઘળા નયો (મતો)નો સમવેશ થાય છે. નયમાં એક જ મત હોય છે. બધા નયોનું વર્ગીકરણ કરી સાતનયમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી જૈનતત્વજ્ઞાનમાં મુખ્યપણે સાત નય છે. તેનો વિસ્તાર કરતાં સાતસો અને તેથી વધુ અસંખ્યાત પણ થાય.