SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત (૫૫) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત ૩૧૭ નયવાદ :- ‘સ્યાદ્વાદ,' ને ‘અનેકાન્તવાદ', ‘અપેક્ષાવાદ,’ કે ‘નયવાદ’ પણ કહેવાય છે. → સુનય અને દુર્રય → નિશ્ચયનય અને વ્યવહારનય. (અર્પિતાનર્પિત સિદ્ધે: રૂશા) → નયવાદ :- સ્યાદ્વાદને, અનેકાન્તવાદ, અપેક્ષાવાદ, કે નયવાદ પણ કહેવાય છે : સ્યાદ્વાદનો સિદ્ધાંત કોઈપણ વસ્તુના દરેક પાસાને યથાર્થ રીતે ઓળખાવનાર છે. દરેક વસ્તુના અનેક નહિ પરંતુ અનંત પાસા, ધર્મો કે અવસ્થાઓ હોય છે. તેમાંથી કોઈપણ એક જ પાસાને સ્વતંત્ર રીતે સમજવા તેને નય કહેવાય. अनन्तधर्माध्यासितं वस्तु एकेन नयेन नयन्ति इति नया: અર્થ :- અનંત ગુણધર્મ(અવસ્થાઓ)વાળી વસ્તુને, એક જ દૃષ્ટિકોણ વડે ઓળખાવે તે નય. એટલે સ્યાદ્વાદને નયવાદ', ‘અપેક્ષાવાદ’ કે ‘અનેકાન્તવાદ’ પણ કહેવાય છે. જેને એક જ અન્ન (છેડો, દૃષ્ટિકોણ, મત) નથી પણ અનેક છેડા છે, તે અનેકાન્તવાદ. સ્યાદ્વાદમાં સઘળા નયો (મતો)નો સમવેશ થાય છે. નયમાં એક જ મત હોય છે. બધા નયોનું વર્ગીકરણ કરી સાતનયમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી જૈનતત્વજ્ઞાનમાં મુખ્યપણે સાત નય છે. તેનો વિસ્તાર કરતાં સાતસો અને તેથી વધુ અસંખ્યાત પણ થાય.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy