________________
૩૧૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઘટનાનો ઊંડાણથી તપાસ કરતાં તે નિર્દોષ પણ હોઈ શકે છે. નીચલી કોર્ટે ગુનેગાર સાબિત કરેલો ઉપલી કોર્ટમાં નિર્દોષ જાહેર થતો હોય છે. (ન્યાયયુક્ત તપાસ માટે આ સમજવું) નીચલી કોર્ટનો ચૂકાદો તેની તપાસ અને સાબિતિઓ મુજબ ખોટો ન હતો, પણ ઊંડાણથી તપાસ કરતાં તે ખોટો સિદ્ધ થાય છે.
ધાર્મિક ઉપદેશોમાં પણ ઘણીવાર તાત્પર્ય ન સમજાય તો ઉપદેશોની વાત ઉપર વિશ્વાસ ન થાય. દા.ત. સંસાર અસાર છે, નાશવંત છે. સ્વપ્ન સમાન છે, વિગેરે ઉપદેશ અપાતો હોય છે. તેનું તાત્પર્ય જે કંઈ દેખાય છે, બને છે, અનુભવાય છે તે સાવ જ ભ્રમ છે, તેવું સિદ્ધ થતું નથી, પરંતુ તાત્વિક દૃષ્ટિકોણથી વિચારતાં, “જે કારણે સંસાર ઉપર મોહ છે તે વસ્તુ ખરેખર ત્યાં નથી માટે તે ભ્રમ છે. સંપત્તિ આદિ સાથે આવતા નથી, માટે તે દૃષ્ટિકોણથી નાશવંત છે. તે કહેવાનું તાત્પર્ય સમજવાનું હોય છે.”
ધર્મોપદેશમાં કયા અવસરે સ્યાદ્વાદનો કયો દૃષ્ટિકોણ મુખ્ય કરવો, અને કયો દૃષ્ટિકોણ ગૌણ, અને સાવ ગૌણ કરી દેવો, તે વસ્તુ ઘણી મહત્ત્વની છે, તેમાં ગીતાર્થતાની કસોટી છે. જીવો મોટેભાગે સંસારરસિક હોય છે. ધર્મના જાણકાર છતાં સંસાર પ્રત્યે જ ઢળી જાય તેવા મંદવૈરાગી હોય છે. તેઓને મજબૂત વૈરાગી બનાવવા માટે ધર્મના બદલામાં ભૌતિક સુખના ધ્યેય વિના, એકમાત્ર મોક્ષના ધ્યેયથી જ ધર્મ કરાય તે વાત બરાબર હૃદયમાં સ્થિર કરવી જોઈએ. સંસારિક ધ્યેયથી કરાતો ધર્મ નિષ્ફળ અને નુકશાન કરનારો બને છે. આ વાત પણ તેના મનમાં સ્થિર કરવી જોઈએ. તે રીતે જ તેઓને ઉપદેશ હિતકર બને.
આનાથી જુદા પ્રકારનો બીજો દૃષ્ટિકોણ પણ, એવા કોઈ અવસરે