________________
(૫૪) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદનો સિદ્ધાંત
૩૧૩
હોય, તેવા દુઃખ હોઈ શકે છે. અને જેને દુઃખી તરીકે વર્ણન કરાય છે, તેને પરિવારમાં સંપ, લોકમાં આદર સન્માન, શારિરીક નિરોગીતા, વિગેરે સુખો હોય તેવું બનતું હોય છે. તેમ છતાં લોકવ્યવહારમાં ધનસંપન્ન સુખી તરીકે વર્ણવાતો હોય છે.
બીજુ દૃષ્ટાંત જોઈએ તો, લોકમાં જે વિષ (ઝેર) તરીકે પ્રચલિત હોય તેવા કેટલાક દ્રવ્યો, કેટલાક વિશિષ્ટ રોગોમાં ઉપયોગી હોવાથી વૈદ્ય કે ડૉક્ટર દ્વારા ઔષધ તરીકે વપરાતા હોય છે. તેમ છતાં તે ઝેર તરીકે જ સામાન્ય રીતે પ્રચલિત હોય છે. તેના વેચાણમાં Poision નું લેબલ લગાવાય છે. જેથી કોઈ સામાન્ય ઉપયોગ કરી નુકશાનનો ભાગી ન બને. બીજી રીતે જોઈએ તો, જે સામાન્યથી ઔષધ તરીકે પ્રચલિત હોય તેવા ઔષધો પણ, માપસર કે વિધિપૂર્વક ન લેવાય તો ઝેર બની જાય છે. પરંતુ પ્રસિદ્ધ વ્યવહારમાં તો તે ઔષધની યાદીમાં જ ગણાય છે. આ બધામાં મુખ્ય કે ગૌણ અપેક્ષા, અથવા સામાન્ય કે વિશિષ્ટ અપેક્ષા, એ સ્યાદ્વાદ છે.
હજુ આગળ જોઈએ તો, જે દિવસે કચ્છમાં ભયંકરભૂકંપ આવ્યો તેને કાળો દિવસ તરીકે ઓળખાવાય, ત્યારે સમગ્રતયા મોટી હોનારતનો દૃષ્ટિકોણ સમજાઈ જવાતો હોય છે. કોઈ ગામ, નગર, કુટુંબ, કોઈસમૂહ કે વ્યક્તિ માટે અત્યંત ઉત્તમ ઘટનાનો પ્રસંગ પણ હોઈ શકે છે. તેઓ માટે તેટલા પુરતો તે શુભદિન હોઈ શકે છે. તેનો દૃષ્ટિકોણ તેના માટે ઉચિત ગણાય, પરંતુ સમગ્રતયા જે દૃષ્ટિકોણ છે તેનો નિષેધ ન હોય.
વળી કેટલાક પ્રસંગોમાં દૃષ્ટિકોણ, કે અભિપ્રાય નક્કી કરવો મુશ્કેલ બનતો હોય છે. ત્યાં ઊંડાણમાં જઈને વિવેચન તર્કો સાબિતી આદિથી તે નક્કી કરાતું હોય છે. દા.ત. એક વ્યક્તિએ પિસ્તોલની ગોળી ચલાવી અને બીજો મૃત્યુ પામ્યો, તો તે ગુનેગાર કહેવાશે. પરંતુ કેટલીક વાર