________________
૩૧ ૨.
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કોઈએ આખો હાથી જોયો નથી. તેનું એક એક અંગ પકડીને આખા હાથીને તેવો માનવા પ્રયત્ન કરો છો. તમે આખો (પૂર્ણ) હાથી જોઈ શકતા નથી, માટે જેણે આખો હાથી જોયો છે, તેના પર વિશ્વાસ મૂકવો જોઈએ. તો તમે સાચું જ્ઞાન પામી શકો. હાથીના તે તે અવયવો તેવા છે તે વાત સાચી, પણ આખો હાથી તે અવયવોના યથાયોગ્ય સમન્વયવાળો છે. - સ્યાદ્વાદ દરેક દૃષ્ટિકોણને તેના યથાર્થ સ્થાને જોડે છે :
જુદાં-જુદાં પાંચ, કે છ દર્શનો (નયવાદ)ની માન્યતા, હાથીના એક એક અવયવ પકડીને આખા હાથીને તેવો માનનાર અંધ જેવી છે. સ્યાદ્વાદમતની માન્યતા હાથીના દરેક અંગને યથાયોગ્ય રીતે જાણનાર દેખતા માણસ જેવી છે. દરેક દષ્ટિકોણને તેના યથાયોગ્ય સ્થાને જોડે છે. તત્વજ્ઞાનના પૂર્ણસ્વરૂપને (શુદ્ધ બોધ) સમજવા માટે દરેક મત (નય)નો યથાર્થ (જુગતિ જોગ) સમન્વય (સંગતિ) જરૂરી છે. - સ્યાદ્વાદ, દરેક અવસરે દરેક અવસ્થામાં, સાચો દેષ્ટિકોણ આપનાર વાદ છે :
જેવી રીતે ધર્મોના વાદ-વિવાદમાં સત્યને સમજવા સાદ્વાદ તમને સહાયક થાય છે, તેવી રીતે ધાર્મિક જીવન કે સંસારિક જીવનમાં વાતચીત લેવડ-દેવડ ઇત્યાદિમાં એકબીજાના અભિપ્રાયને સમજવા પણ
સ્યાદ્વાદ સહાયક થાય છે. જયારે સર્વસામાન્યથી લોકમાં વ્યવહાર, કે વાતચીત વિગેરે થતા હોય ત્યારે તેમાં ગર્ભિત રીતે કોઈ અપેક્ષા નિશ્ચિત હોય છે. દા.ત. અમુકવ્યક્તિ સુખી છે, અને બીજો દુઃખી છે. આવી વાતો ધનની સંપન્નતાની અપેક્ષાથી થતી હોય છે. તે સર્વસામાન્ય છે. પરંતુ જેને સુખી તરીકે વર્ણન કરાતો હોય, તેને પરિવારની ચિંતા, શારીરિક દુ:ખ, કે તેના ખોટા કાર્યોને કારણે લોકમાં આદર સન્માન ન