________________
૩૧૧
(૫૪) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદનો સિદ્ધાંત
અંધ પુરુષે એહ ગજ, ગ્રહી અવયવ એકેક, દૃષ્ટિવંત લહે પૂર્ણ ગજ, અવયવ મેલી અનેક-૪. સંગતિ સકલ નયેકરી, જુગતિયોગ શુદ્ધબોધ, ધન્ય જિન શાસન જગ જ્યો, જિહાં નહીં કશો વિરોધ-પ
અર્થ:- તત્વજ્ઞાનના વિષયમાં મૂળ પ્રારંભથી જે જુદા-જુદા મતો પ્રવર્યા છે, તે નય (વસ્તુને કે વિષયને સમજવાનો દૃષ્ટિકોણ)ના ભેદના કારણે, પ્રવર્યા છે. તે દરેક મતો (નયો) પોત પોતાનો દૃષ્ટિકોણ સાચો છે એમ સિદ્ધ કરવા મથે છે. પરંતુ તત્વજ્ઞાનનું પૂર્ણસ્વરૂપ વિચારતાં એકે ય કામ આવતા નથી. દરેક દૃષ્ટિકોણનો સમન્વય, એ જ પૂર્ણ તત્વજ્ઞાન છે, તેને સમજાવવા અંધપુરુષ અને હાથીનું દૃષ્ટાંત આપ્યું છે. તેને જોઈએ.
એક નગરમાં જન્મથી જ અંધ એવા પાંચ માણસો હતા. તે નગર બહાર એક હાથી આવ્યો હતો, તેને જોવા ગયા. અંધ હોવાથી હાથીને આંખોથી જોઈ શકે તેમ ન હતા, એટલે હાથી કેવો છે તે જાણવા માટે, તેના શરીરના જુદા જુદા અંગોને સ્પર્શ કરીને હાથી કેવો છે? તે જાણવા પ્રયત્ન કરતા હતા. એકના હાથમાં કાન આવ્યો, એટલે તેણે માની લીધું કે હાથી સુપડા જેવો છે. બીજાના હાથમાં પગ આવ્યો, તેણે થાંભલા જેવો માન્યો. ત્રીજાના હાથમાં સૂંઢ આવી, તેણે કેળના થડ જેવો, ૪થાના હાથમાં દંતશૂળ આવ્યો તેણે સાંબેલા જેવો, પમાના હાથમાં પૂંછડું આવ્યું તેણે દોરડા જેવો, માની લીધો.
આ રીતે દરેક જુદા જુદા પ્રકારે હાથીને માનવા લાગ્યા. પાછાવળતાં તે પાંચે ય મહેમાંહે ચર્ચા કરી પોતાનો દૃષ્ટિકોણ સાચો ઠેરવતા ઝઘડવા લાગ્યા. રસ્તામાં એક દેખતો માણસ મળતાં તેઓના ઝઘડાનું નિવારણ કરતાં કહેવા લાગ્યો કે “ભાઈઓ તમે ખોટા ઝઘડો છો. તમારામાંથી