SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ (૫૩) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદ સિદ્ધાંત ઉત્સર્ગ અને અપવાદ ઇત્યાદિ સ્યાદ્વાદ સિદ્ધાંતદ્વારા નક્કી થાય છે. તે બંનેના નિશ્ચિત સ્થાનો છે. જે પરિસ્થિતિ ઉત્સર્ગનો વિષય બનતી હોય તેવા સંયોગોમાં ઉત્સર્ગમાર્ગનું આચરણ, અને જે પરિસ્થિતિ અપવાદનો વિષય બનતી હોય તેવા સંયોગોમાં અપવાદ માર્ગનું આચરણ કરવાનું હોય છે. તે મુજબ જે જીવે છે. તે જ સાચો સાધક સાધુ છે. તે જ કર્મબંધનને દૂર કરતાં કરતાં ગુણસ્થાનકમાં આગળ વધી શકે છે. દરેકને તેનું સાચું જ્ઞાન હોતું નથી, માટે અન્યોએ ગીતાર્થના માર્ગદર્શન અનુસાર સાધુ જીવમાં વર્તવાનું હોય છે. આવો આત્મા શીઘ્ર કલ્યાણ સાધે છે. આ રીતે મોક્ષમાર્ગની સાધનામાં સ્યાદ્વાદ અત્યંત જરૂરી છે. > સઘળાંય પાપોને ખપાવવાનો, દીક્ષા જેવો કોઈ ઉત્તમ રસ્તો નથી. - જડ (ક) અને ચેતનનો યોગ તેનું નામ સંસાર. જડ (ક) અને ચેતનનો વિયોગ તેનું નામ મોક્ષ.- પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા. ડૉ. કાર્લ ચારપેન્ટીયર, પીએચ.ડી. કહે છે, “વળી, આપણે એ બંને વસ્તુઓ યાદ રાખવી જોઈએ કે જૈન ધર્મ મહાવીર કરતાં ચોક્કસ રીતે પુરાણો છે અને તેમના સુવિખ્યાત પુરોગામી પાર્થ લગભગ નિઃશંક રીતે વાસ્તવિક વ્યક્તિ તરીકે વિદ્યમાન હતા, અને પરિણામે મૂળધર્મ સિદ્ધાંતોના મહત્ત્વના મુદ્દાઓનું મહાવીર પહેલાં લાંબા સમય પૂર્વે એકત્રીકરણ થયું હોવું જોઈએ. હકીકતમાં ડૉ. રાધાકૃષ્ણ કહે છે તે પ્રમાણે, જૈન ધર્મ, વર્ધમાન અથવા પાર્શ્વનાથ પહેલાં પ્રવર્તમાન હશે એ વિષે શંકા નથી. (ભારતીય તત્ત્વજ્ઞાન ગ્રંથ૧) – જે પોતાની મૂર્ખતા જાણે છે, તે સંપૂર્ણ મુર્ખ નથી (આંગજુ) - સામર્થ્યનું બાણ સંયમના ભાથામાં શોભે છે. - બે દુઃખ વચ્ચેના ટૂંકા ગાળાના વિરામ'ને “સુખ' કહેવાય છે. – ચિંતન, એ આત્માનો પોતાની સાથે સંવાદ છે (પ્લેટો) – આપણે આપણું ભાવિ ઘડીએ છીએ, અને એને નસીબ કહીએ છીએ.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy