________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
સમજાવવામાં આવ્યા છે. સ્યાદ્વાદ સઘળા વ્યવહારમાં તેમજ વિશેષથી તત્ત્વજ્ઞાનને સમજવામાં આચારવામાં ખૂબ જરૂરી છે.
३०८
દરેક ક્ષણે વ્યક્તિને પોતાના સાંસારિક, સામાજીક, રાજકીય, ધાર્મિક ઇત્યાદિક દરેક ક્ષેત્રમાં, તેવા તેવા પ્રસંગે પોતાનો દૃષ્ટિકોણ, પ્રતિભાવ, વર્તન વિગેરે કેવા હોવા જોઈએ તેનો નિર્ણય કરવો જરૂરી બનતો હોય છે. તેવા સંયોગમાં આ સિદ્ધાંત તેને પોતાના માટેનો ઉચિત દૃષ્ટિકોણ બરાબર નિશ્ચિત કરી આપે છે. જો કે તેના માટે ખૂબ ઊંડી સમજની જરૂર પડે છે. જૈનશાસ્ત્રોમાં દર્શાવેલા સ્યાદ્વાદ સિદ્ધાંતની પરિભાષાના શબ્દો, વ્યાખ્યા, વિગેરે ખૂબ સૂક્ષ્મબુદ્ધિથી સમજવા જરૂરી બને છે. આવો વ્યક્તિ જ સ્યાદ્વાદને અનુરૂપ યથાયોગ્ય રીતે પોતે અનુસરી શકે છે, અને અન્યને પણ ઉચિત માર્ગદર્શન આપી શકે છે. મોક્ષમાર્ગની સાધનામાં તે અતિ જરૂરી માન્યું છે. શ્રી આગમશાસ્રોના તલસ્પર્શી અભ્યાસ અને અનુભવથી જે મુનિઓ નિષ્ણાત બને તેઓને ‘ગીતાર્થ’ કહ્યા છે. ગીતાર્થ એટલે કે આગમશાસ્ત્રોના વચનોનું તાત્પર્ય (અર્થ) સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસારે પોતે આત્મસાત્ (ગીત) કર્યું છે, તેવા આચાર્ય.
મોક્ષમાર્ગની સાધના મુખ્યપણે સાધુને હોય છે. તેથી સાધુને સવારથી સાંજ સુધી દિવસે, અને રાત્રિ દરમિયાન, તેમ જ જીવનભર સર્વસામાન્ય રીતે કેવી રીતે વર્તવું તેના નિયમો હોય છે. તેને ઉત્સર્ગ માર્ગ કહેવાય છે. પરિસ્થિતિ પલટાય અને કોઈ વિશેષ પરિસ્થિતિ પ્રસંગે કેવી રીતે વર્તવું તે નક્કી કરવું જરૂરી બનતું હોય છે. વિશેષ પરિસ્થિતિમાં પણ વ્યક્તિગતરીતે, સામૂહિક રીતે, સમાજ, દેશ, કાળ, રાજકીય પરિસ્થિતિ, દુકાળ, સુકાળ ઇત્યાદિ પ્રસંગે કેવી રીતે વર્તવું, તે નક્કી કરવું જરૂરી બને છે. તેને અપવાદ માર્ગ કહેવાય છે. આ રીતે