________________
૩૦૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
કરાવે છે, અને કોઈ એક અપેક્ષાએ વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ બતાવે છે. સંશયમાં કોઈ ધર્મનો નિર્ણય હોતો નથી. દા.ત. રસ્તામાં ચમકતો ટૂકડો જોઈ તમને સંશય થયો, કે ચાંદી હશે કે કલાઈ ? અહીં બેમાંથી એકનો નિર્ણય નથી. સ્યાદ્વાદમાં દરેક ધર્મના અસ્તિત્વનો નિશ્ચય હોય છે. જેમકે દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય જ છે, અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય જ છે. (શાસ્ત્રોમાં વસ્તુના અપેક્ષાપૂર્વકના નિરૂપણમાં ‘જ’ કારનો પ્રયોગ ન થયો હોય ત્યાં પણ અધ્યાહારથી તેનો પ્રયોગ સમજી લેવો.) અહીં નિત્ય કે અનિત્ય ? એવો સંશય રહેતો નથી. સ્યાદ્વાદની દૃષ્ટિએ વસ્તુને બરોબર ઓળખવી હોય તો સપ્તભંગી (સાત વિકલ્પો) દ્વારા સ્પષ્ટ થઈ શકે.
શંકરાચાર્ય અને બીજા અનેક બુદ્ધિશાળીઓ પણ સ્યાદ્વાદનું તાત્પર્ય ગ્રહણ કરવા નિષ્ફળ ગયા, તો પછી સાધારણ બુદ્ધિવાળાનું તો કહેવું જ શું ? તેઓ કહે છે કે :- જ્ઞાનનો ઉપાય (means), જ્ઞાનનો ઉદ્દેશ, (object) જ્ઞાનનો વિષય (subject), અને જ્ઞાનની ક્રિયા (action), આ બધા એક સમાન અનિશ્ચિત છે. તેથી તીર્થંકર આપ્તપણે નિશ્ચયપૂર્વક કેવી રીતે ઉપદેશ આપી શકે ? અને જે સિદ્ધાંતનો વિષય સાવ જ સંદિગ્ધ હોય તે સિદ્ધાંત મુજબ તેમના શિષ્યો કેવી રીતે વર્તી શકે ?
→ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, અને ચિંતકો પણ સ્યાદ્વાદને સમજી શકયા નથી :
પ્રોફે. S.K. Belvalkar પણ આ સિદ્ધાંતને બરાબર સમજી શકયા નથી. તેઓ કહે છે કે “જૈનદર્શનનો સૈદ્ધાંતિક (dogmatic) ભાગ...જ્યારે તેના વિવાદના (dialectial) ભાગ સાથે, એટલે કે, પ્રસિદ્ધ સ્યાદ્વાદ સિદ્ધાંત સાથે સમાયોગ કરવામાં આવે ત્યારે તદ્દન અસંગત થાય છે. જેમ કે એ સુપ્રસિદ્ધ છે કે આ સિદ્ધાંત કોઈપણ વિધાનની શકચતાનો અસ્વીકાર કરે છે. ‘અ’ વ્યક્તિ ‘બ’ હોય અથવા ન હોય, અથવા ‘અ’