________________
(૫૩) સૂત્ર - ૩૧ - સ્યાદ્વાદ સિદ્ધાંત
૩૦૩
[
(૫૩) સૂત્ર - ૩૧ :- સ્યાદ્વાદ સિદ્ધાંત
પરસ્પર વિરુદ્ધધર્મોવાળી પ્રત્યેક વસ્તુ, અનેક ધર્માત્મક છે. -> સ્યાદ્વાદ, એ વસ્તુની સંપૂર્ણ ઓળખાણ કરાવે છે, અને કોઈ એક
અપેક્ષાએ વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ બતાવે છે. - પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અને ચિંતકો પણ સ્યાદ્વાદને સમજી શક્યા નથી. -> સ્યાદ્વાદ સિદ્ધાંતને અનુસાર આગમશાસ્ત્રોના વચનોના તાત્પર્યને
જેણે આત્મસાત્ કર્યા હોય, તે ગીતાર્થ કહેવાય છે.
મર્પિતાનર્પિત સિદ્ધ પારૂ અર્થ :-અર્પિત (વ્યવહાર) અને અનર્પિત (નિશ્ચય)થી દ્રવ્યની સિદ્ધિ
| થાય છે.
શ્રી આગમગ્રંથમાં પણ uિતાત્તિ (શ્રી સ્થાનાંગ સૂત્ર ૧૭૨૭) પરસ્પરવિરુદ્ધધર્મોવાળી પ્રત્યેક વસ્તુ, અનેક ધર્માત્મક છેઃ
એક જ વસ્તુમાં નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે પરસ્પર વિરુદ્ધ ધર્મોની સિદ્ધિ, અર્પિતથી (કોઈએક અપેક્ષાથી એકધર્મની સિદ્ધિ), અને અનર્પિતથી (અપેક્ષાના અભાવથી એટલે કે, બીજી અપેક્ષાથી, તેનાથી વિરુદ્ધ ધર્મની સિદ્ધિ) થાય છે. આ રીતે પ્રત્યેક વસ્તુ અનેકધર્માત્મક છે. જે વખતે જે ધર્મની અપેક્ષા (ઉપયોગિતા, અર્પિત) હોય, તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વસ્તુને ઓળખીએ છીએ. પરંતુ તે વસ્તુની સંપૂર્ણ ઓળખાણ નથી. આ જ વસ્તુ ટીકામાં જણાવી છે.
तत्र प्रयोजनवशात् कदाचित् कश्चिद् धर्मो वचनेनार्ण्यते विवक्ष्यते,