________________
૩૦૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
કરવું, નિયમોને આધીન રહેવું, કારણ બનવું, દરેક અવસ્થાનો સ્થાયી આધાર બનવું, ગઈકાલની જેમ આજે રહેવું, બદલાતી ક્રિયાઓમાં પણ સમાન રહેવું, આ બધી જૈનદર્શનની તત્ત્વ વિષેની માન્યતાઓ છે ‘ફક્ત થવું' (એકાંત અનિત્યતા) એ તેટલું જ અવાસ્તવિક છે, જેટલું ‘ફકત હોવું’ (એકાંત નિત્યતા) છે. ટૂંકમાં થવું (becoming અનિત્યતા) અને હોવું (being નિત્યતા) બંને વાસ્તવિક પદાર્થના સંપૂર્ણભાવ (notion)ના પૂરકો છે.
ઘણાના મનમાં આ ત્રિગુણસ્વભાવના સહઅસ્તિત્વ વિષે શબ્દોમાં સ્પષ્ટ વિરોધાભાસ લાગે, પરંતુ જૈનદર્શનના તર્ક પ્રમાણે વિરોધાભાસી વાકયો એકબીજાને પ્રતિકૂળ જ હોય તેવું આવશ્યક નથી (સ્યાદ્વાદ સિદ્ધાંત). આ વસ્તુ હવેના સૂત્રથી સમજાવી છે.
→ વિશ્વના સમસ્તભાવો બદલાતા ક્ષણિક અને ક્ષણભંગુર છે. છતાં અજ્ઞાનતાથી આત્મા આ બધુ, સ્થિર, શાશ્વત અને કાયમી માને છે. પૂ.આ. વિજયરામચન્દ્રપૂ.મ.સા.
-
―――
'
-
—
--
-
દુઃખના દરિયામાં સુખનું મોતી પાકે છે.
જીવન વહ્યા કરે જળની જેમ, આપણે રહીએ કમળની જેમ.
જીવતા મા-બાપને ચૂપ કરે. અને મર્યા પછી ધૂપ કરે એ કેવું ? ન શોભે
એવું.
તું લાચાર હતો ત્યારે તને જેણે સાચવ્યો, એ મા-બાપ લાચાર બને ત્યારે સાચવી લે જે - તું આટલો તો લાયક બનજે.
માઁ ઔર ક્ષમા દોનો એક હૈ, ક્યોંકિ માફકરને મેં દોનો નેક હૈ.
બચપણમાં ગોદ દેનાર માને, ઘડપણમાં દગો દેનાર ન બનતો. બા ! પહેલાં આંસુ આવતા ત્યારે તું યાદ આવતી, હવે તું યાદ આવે છે, એટલે આંસુ આવે છે.