________________
૨૯૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
સ્થાપના, એ ગુરુપરંપરાનું મૂળ બને છે. જે ત્રિપદીને ગ્રહણ કરીને, શ્રી ગણધરભગવંતો દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની રચના કરે છે, તે ત્રિપદી જગતમાં વિજયવંત છે, સર્વ પદાર્થોમાં સર્વવ્યાપક છે.
उप्पन्ने वा, विगमेइ वा, घुवेइवा વિામેરૂ
આ ત્રિપદી યુક્ત સર્વપદાર્થો સત્ છે. આ રીતે મહાસત્તામય એકસ્વરૂપે વિશ્વનું સ્વરૂપ બતાવી દીધું. સત્ માં વિશ્વનું એકીકરણ છે. ઉત્પાદિ ત્રણમાં પૃથક્કરણ છે. વિશ્વના વિજ્ઞાનનો ખજાનો આ ત્રિપદીમાં આપી દીધો છે. અતિ સંક્ષિપ્તમાં વિશ્વનું સ્વરૂપ બતાવનારા શ્રી તીર્થંકરભગવંતોએ દ્વાદશાંગીમાં તેનો અતિવિસ્તાર પણ કરી બતાવ્યો છે. આવા અચિંત્ય શક્તિસંપન્ન શ્રી તીર્થંકર ભગવંતોમાં જ જગદીશ્વર, જગન્નાથ, પરમ પરમેશ્વર, તરણતારણહાર, દીનાનાથ, દેવાધિદેવ, જેવા મહામહિમ વિશેષણો સાર્થકતાને પામે છે.
→ કોઈ અરિહંત એવા નથી થયા, જેણે આપણા આત્માની ચિંતા ન કરી હોય.
આપણા સાચા મા, બાપ, ભાઈ, સ્નેહી સંબંધી કોણ ? અરિહંત.
→ જન્મ જેવો કોઈ રોગ નથી, સુખ જેવું કોઈ પાપ નથી, અને ઇચ્છા જેવું કોઈ દુઃખ નથી.
→ સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ - આ બંને ઉપર દ્વેષ થાય, ત્યારથી વૈરાગ્યની શરૂઆત થાય.
→ જગતમાં કર્મસત્તા એટલી જોરદાર છે, કે તેને મહાસંયમી વિના કોઈ ફેડી શકતું નથી.
કર્મ સારાં બાંધવા કે ખરાબ બાંધવાં, બાંધવાં કે નહિ તે આપણા હાથની વાત છે.
- પૂ.આ. વિજયરામચન્દ્રસૂ.મ.સા.