SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૧) સૂત્ર - ૨૯:- સત્ ની વ્યાખ્યા ૨૯૫ બાળજીવો અગમ્ય તત્ત્વ ન સમજી શકે એટલે ઈશ્વર બધું કરે છે, તેની ઇચ્છા વિના એક પાંદડું ય ન હાલે', “ઈશ્વરના દરબારમાં દેર છે અંધેર નહિ,” “ઈશ્વરની ઘંટી દળે છે, પણ ઝીણું દળે છે.” વિગેરે આવી ઉક્તિઓનો આશ્રય લેતા હોય છે. આ સઘળામાં “સત્ સ્વરૂપ', કે નિશ્ચિત વ્યવસ્થા” કે “આત્માના ઐશ્વર્યથી યુક્ત ઈશ્વર” માનીને સંગતિ થઈ શકે છે. - ત્રિપદીમાં વિશ્વના વિજ્ઞાનનો ખજાનો છે - દરેક વસ્તુ ત્રિગુણાત્મક છે, એટલે કે દરેક વસ્તુ પર્યાય (અવસ્થા) રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જૂનો પર્યાય (અવસ્થા) નાશ પામી, નવોપર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ તે પદાર્થ-વસ્તુમૂળદ્રવ્યરૂપે સ્થિર પણ રહે છે. (જુઓ પૃ. ૫૮થી ૬૪) દરેક વસ્તુમાં બે અંશો હોય છે. (૧) દ્રવ્યાંશ. (૨) પર્યાયાંશ. દ્રવ્યાંશ એવો છે જે ત્રણ કાળમાં સદા શાશ્વત છે. (સ્થિર-ધ્રુવ). પાંચે ય દ્રવ્યોનો દ્રવ્યાંશ શાશ્વત છે. તે બદલાતો નથી. પાંચના પાંચ છે. ૪ કે ૬ થતા નથી. બીજો અંશ છે, તે પર્યાયાંશ છે. જે કંઈ ફેરફારો થાય છે, તે તેના પર્યાય (અવસ્થાઓ)ના થાય છે. તે સદા અશાશ્વત (અસ્થિર છે, એટલે કે ઉત્પન્ન અને નાશ થવાવાળો) હોય છે. આ બે અંશમાંથી કોઈ એક અંશ પ્રત્યે આપણી દૃષ્ટિ જવાથી તે સ્થિર (શાશ્વત), કે અસ્થિર (નાશવંત) જણાય છે. બંને અંશોની બાજુએ દૃષ્ટિ આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ સમજાય છે. આ રીતે આ સૂત્ર દરેક વસ્તુનું પૂર્ણ સ્વરૂપ જણાવે છે. માટે સતુ એ જ મુખ્ય છે. મહાસત્તા છે. બાકીના પાંચ તેના પેટા વિભાગો છે. આ એકદમ ટૂંકમાં પણ સચોટ વ્યાખ્યા સત્,ની કરી બતાવી. શ્રી તીર્થંકર પરમાત્મા ધર્મશાસનની સ્થાપના, આ જ ત્રિપદી શ્રી ગણધર ભગવંતના જીવોને પ્રદાન કરીને, કરે છે, અને શ્રી ગણધર ભગવંતોને શ્રુતકેવલી (પૂર્ણ શાસ્ત્રજ્ઞાની) બનાવે છે. શ્રીગણધર ભગવંતોની
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy