________________
(૪૯) સૂત્ર - ૨૫ અને ૨૬ :- અણું અને સ્કંધની ઉત્પત્તિ
→ આધુનિક વિજ્ઞાનનો atom એ વાસ્તવમાં Molecule (સ્કંધ) છે.
આધુનિક વિજ્ઞાનના પુદ્ગલના આણ્વિક સિદ્ધાંતના પ્રતિપાદક જોહ્ન ડેલ્ટને ૧૮૦૮માં જાહેર કર્યું હતું કે “તેને સારી રીતે જાણનાર કોઈપણ માણસ અણુ (એટમ)નો ભંગ ન કરી શકે.” ગ્રીક તત્ત્વજ્ઞાની ડેમોક્રીટસે (ઈ.પૂ. ૪૨૦) પણ પુદ્ગલ પદાર્થના અવિભાજય અંશ વિષે સૂચન કર્યું હતું. આધુનિક રસાયણશાસ્ત્ર મુજબ કહેવાતો અણુ, એ વાસ્તવમાં પ્રોટોન, ઇલેકટ્રોન, ન્યૂટ્રોન આદિનો સમૂહ સાબિત થયો છે. ન્યૂટ્રોનની ગતિ એક સેકંડના ૧૦૦૦ માઈલની માની છે. તે સીસાની જાડી દીવાલમાંથી પણ પસાર થઈને જઈ શકે. X-ray દ્વારા પણ તે પ્રત્યક્ષ ન થાય. તેની શક્તિ એટલી છે કે, જો તેનો તોપગોળો બનાવવામાં આવે તો ૭૫૦ માઈલ જાડી સ્ટીલ પ્લેટને પણ ભેદી શકે. કૃત્રિમ શસ્ત્રોમાં તે સૌથી શક્તિશાળી જણાયું છે.
૨૮૩
એક વાર જે શ્વાસ લઈએ તેમાં ૧૪૪૧૦૧૦ ન્યૂટ્રોન માન્યા છે. કેટલાકે આનાથી પણ સૂક્ષ્મ પ્રારંભિક અણુ ને quark (ક્વાર્ક) નામ આપ્યું છે, પરંતુ ત્યાં સુધી પહોંચી શક્યું નથી. (જુઓ પૃ. ૧૨૦)
સ્કંધ - પરસ્પર જોડાયેલા બે પરમાણુ (વ્યણુંક)થી માંડીને સમગ્ર લોકાકાશ વ્યાપી (વિશ્વવ્યાપી) અચિત્ત મહાસ્કંધ. સ્કંધો બે પ્રકારના હોય છે. સૂક્ષ્મપરિણામવાળા અને બાદર (સ્થૂલ)પરિણામવાળા. બાદર પરિણાવાળા સ્કંધો જ ચક્ષુથી દશ્યમાન થાય છે. આથી આપણને અત્યારે દૃશ્યમાન થતા ઘટાદિ સર્વ સ્કંધો બાદર પરિણામી છે . બાદર પરિણામવાળા સ્કંધોમાં આઠેય પ્રકારનો સ્પર્શ, અને સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધોમાં (સ્નિગ્ધ, રુક્ષ-અને શીત-ઉષ્ણ-આ બે જોડકામાંથી એક સાથે એક સ્કંધમાં કોઈપણ બે, અને અનેક સ્કંધની ગણતરીએ કુલ) ચાર પ્રકારનો સ્પર્શ હોય છે.
પરસ્પરેળાસંયુત્તા: પરમાળવઃ, સ્વસ્થા: પુનર્વીર્ - પરિનામपरिणता अष्टस्पर्शा बद्धा एवाणुसङ्घाताः, सूक्ष्मपरिणामभाजस्तु चतुः