SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રીતે વધુ વધુ પરમાણુંઓ જોડાવાથી તેટલા અણુઓનો અંધ બને છે. અનંતા જોડાઈને તેવો અંધ બને છે. આ બધાની રચના થવામાં મૂળ (અન્ય કણ) (elementry particle) કારણ પરમાણું છે. પરમાણું સદા અદશ્ય, અને વજનરહિત હોય છે, કારણ તે “સૂક્ષ્મ પરિણામ' નામના ગુણધર્મવાળો છે. અંતિમકણ - જ્યારે વિશ્વનો કોઈપણ ભૌતિકપદાર્થ રચાય ત્યારે તે તેના અવયવો મળીને બને છે. દા.ત. ઘરની રચના ઈંચ, માટી, રેતી આદિ અવયવો મળીને બને છે. ટેબલ, ખુરશી વિગેરે, તેના વિભાગો (અવયવો) જોડાઈને બને છે. પાણી અનેક ટીપાં (અવયવો) મળીને બને છે. ઇત્યાદિ સમજવું. તે (ઈટ, માટી, ટીપાં આદિ) અવયવો પણ તેના બીજા અવયવો (વિભાગો)થી બને છે. આ રીતે વિચારતાં તેઓનો કોઈ અંતિમ અવયવ (ઘટક-અંશ) અવશ્ય હોવો જોઈએ કે, જેના હવે બીજા કોઈ અવયવ (વિભાગ) ન હોય. એટલે કે હવે તેના બે ભાગ ન થઈ શકે. આવો અવિભાજ્ય અંતિમકણ (elementry Particle) તે જ પરમાણું છે. (જુઓ પૃ. ૪૪થી ૫૧) પરમાણું ઓ જોડાઈને જે પદાર્થો રચાય છે, તેમાં અનેક વિવિધતાઓ જોવા મળે છે, પરંતુ તેના મૂળ પ્રારંભિક ઘટક પરમાણુમાં, વાસ્તવમાં કોઈ જ વિવિધતા નથી. તે સઘળા એક સમાન જ છે. કોઈપણ વિવિધતા વિના પરમાણુંથી રચાતા ભૌતિક પદાર્થોમાં વિવિધતા આવવાનું કારણ તે પરમાણુંઓની પરસ્પર સંયોજન પામવાની પદ્ધતિની વિવિધતા છે. વર્તમાન રસાયણશાસ્ત્ર (chemistry) માં તે બહુ પ્રસિદ્ધ છે. સોનું, લોખંડ, આરસ, પથ્થર, હવા, પાણી, વાદળ ઇત્યાદિ દશ્ય, અને બીજા અદશ્ય, ભાષા, મન, કર્મ, આદિમાં વિવિધતા, પરમાણુંઓ અને તેનાથી બનેલા સ્કંધોના વિવિધ પ્રકારના સંયોજનથી છે. પરમાણું સૂમ અને વ્યવહારિક બે પ્રકારનો છે (જુઓ પૃ. ૪૪) અવિભાજય અંતિમઘટક જે પરમાણું છે તે સૂક્ષ્મ સમજવો.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy