SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન → સમયનો કોઈ પ્રારંભ નથી. સમયનું કોઈ પૂર્ણ વિરામ નથી ઃવિશ્વના ઘણા ચિંતકોએ કાળ અથવા સમય વિષે ઘણું ચિંતન કર્યું છે. પણ સમયની વ્યાખ્યા કરવી તેઓને મુશ્કેલ જણાઈ છે. તેમ છતાં સમયને માન્યા વિના ચાલે તેમ નથી. સમય એ વિશ્વનું અગત્યનું પરિબળ છે. આપણે જીવનને સમયથી માપીએ છીએ. નાનો મોટો સમયના આધારે નક્કી કરીએ છીએ. જેમ બે વસ્તુ વચ્ચેનું અંતર, તે વસ્તુ વચ્ચેના ક્ષેત્રના આધારે માપીએ છીએ. તેમ બે ઘટનાઓ વચ્ચેનું અંતર કાળના આધારે મપાય છે. સેકંડ, મિનિટ, કલાક, દિવસ, માસ, વર્ષ વિગેરે આપણે નક્કી કરેલા માપ છે. સેકંડ એ કોઈ સમયનું સૂક્ષ્માતિસૂક્ષ્મ માપ નથી, પણ અલ્પ સમયમાં થતી ક્રિયાદ્વા૨ા તે નક્કી થાય છે. હજુ સૂક્ષ્મ માપ નક્કી કર્યું છે, જેને પીકો સેકેન્ડ, કે નેનો સેકન્ડ નામ આપ્યા છે. વળી સમયનું મહત્તમ માપ પણ શતાબ્દી, સહસ્રાબ્દી, મિલેનિયમ અને આગળ વધારતાં વિશ્વ ઉત્પન્ન થયું ત્યાં સુધીનું આશરે ૧૩ અબજ વર્ષ મોટું માપ આજે ગણાય છે. ૨૬૬ જો આમ જ હોય તો વિશ્વના અંત સાથે કાળનો અંત આવશે ? શું ૧૩ અબજ વર્ષ પૂર્વે કાળ ન હતો ? અને પછી પણ નહીં હોય ? ના, સમય તો સતત પ્રવાહ છે. સમયનો કોઈ પ્રારંભ નથી સમયનું કોઈ પૂર્ણવિરામ નથી. સમય નિરાકાર છે. છતાં શું છે સમય ? તે સમજવું અઘરું છે. એક ચિંતકે કહ્યું હતું કે “મને કોઈ જ્યાં સુધી પૂછતું નથી ત્યાં સુધી મને ખબર છે. પૂછનારને સમજાવવા બેસું તો મને જાણ નથી કે સમય શું છે ?' સમય, એટલે કે કાળ વિષે જૈનતત્ત્વજ્ઞાનમાં ઘણો પ્રકાશ પાડ્યો છે. કાળ એ દ્રવ્ય છે, કે પર્યાય (અવસ્થા રૂપાંતરો વિગેરે) છે ? કાળના કોઈ પ્રકારો છે ? વિગેરે વિશે વિગતવાર સૂત્ર ૩૮ (પૃ ૩૩૪થી ૩૫૨)ના વિવેચનમાં જોઈશું.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy