________________
(૪૬) સૂત્ર - ૨૨ - કાળ દ્રવ્યઃ-કાળનું કાર્ય
૨૬૫ અને સુધારાઓ કાળદ્રવ્ય વિના તદ્દન અશક્ય છે.” .
રિચાર્ડ હ્યુજીસે પસાર થવું' (Passing) તે વિષે આધુનિક વિજ્ઞાનનો દૃષ્ટિકોણ નીચે મુજબ સમજાવ્યો છે. “ભૂતકાળમાં તમે ભવિષ્ય કહી શકો તેનો ફકત એક જ ઉપાય છે. તમે વારંવાર ઉલટાક્રમે જાઓ. સાદા દષ્ટાંત તરીકે હું એક ચલચિત્ર બનાવું, કે જેમાં કેટલાક છોકરાઓ સુવ્યવસ્થિત ઓરડામાં વિચાર્યા વિના ગમે તેમ રમે છે. અને રૂમને બધી રીતે અવ્યવસ્થિત કરી દે છે. હવે આ ચિત્રને પાછળથી બતાવવામાં આવે તો તમને લાગશે કે, અવ્યવસ્થિત રૂમમાં છોકરાઓ, તે રૂમ વ્યવસ્થિત થાય, તે રીતે રમે છે. પરંતુ તમે માની શકશો નહિ. કારણ કે તમે જાણો છો કે ચલચિત્ર પાછળથી બતાવાય છે. બરાબર તે રીતે આ વિશ્વ, એ વિશાળ ઓરડો સમજો. તેમાં વિશાળ ઉર્જા છે. તેને અનેક યુગોથી આપણે ડહોળી રહ્યા છીએ. પ્રક્રિયા ધીમેથી પણ સુદઢ ચાલે છે. આ જ ભેદ ભૂત અને ભવિષ્ય વચ્ચે છે. આ ડહોળવવું કે અવ્યવસ્થિત થવું તેને કાળ પસાર થયો તેમ કહેવાય છે.” (આ વર્ણન પરિણામ = ફેરફાર થવો, ને જુદી રીતે રજૂ કરે છે.)
કાળ પોતે બીજા દ્રવ્યમાં કયારેય બદલાઈ જતો નથી, કે બીજા દ્રવ્યોને પોતાનામાં બદલી નાખતો નથી. પણ તે બીજા દ્રવ્યોને વર્તનાદિમાં સહાયક થાય છે. જેવી રીતે ધર્મ, અધર્મ અને આકાશ, આ૩ પોતે સ્વયં નિષ્ક્રિય રહી અન્યને અનુક્રમે ગતિ, સ્થિતિ અને જગા આપવામાં સહાયક છે. બરાબર તેજ રીતે કાળ સતત વિદ્યમાનતા (નિરંતરતા) આદિ-૪માં સહાયક છે.
વર્તન, એ જ કાળ છે.બીજી રીતે જોવા જઈએ તો વર્તનાદિ-૪ એ જ કાળ છે. તેને જણાવતાં શ્રી લોકપ્રકાશ સર્ગ ૮-૬માં કહ્યું છે કે,
तथाहि जीवादीनां वर्तना च, परमोऽप्यनेकधा । क्रिया परत्वापरत्वं च, स्यात्काल व्यपदेशभाक् ॥ અર્થ જીવાદિ દ્રવ્યોના વર્તનાદિ-૪, કાળની સંજ્ઞાઓ જ છે.