________________
(૪૬) સૂત્ર - ૨૨ - કાળ દ્રવ્ય-કાળનું કાર્ય
૨૬૧
| (૪૬) સૂત્ર - ૨૨ :- કાળ દ્રવ્ય :-કાળનું કાર્ય
- કાળના આધારે દરેક પદાર્થો, પોતાનું અસ્તિત્વ (વર્તના) જાળવે
છે. પદાર્થોમાં પરિવર્તન, સ્થળાંતર, જૂનું નવું થવું, એ પણ તેના
આધારે જ થાય છે. – કાળને વિશ્વમાંથી દૂર કરો, તેની સાથે તમે વિશ્વની ક્રાંતિને
અટકાવી દેશો. » વર્તના એ જ કાળ છે.
સમયનો કોઈ પ્રારંભ નથી, સમયનું કોઈ પૂર્ણવિરામ નથી.
वर्तनापरिणामक्रियाः परत्वापरत्वे च कालस्य ॥२२॥
અર્થ કાળનું કાર્ય (૧) વર્તના (પદાર્થનું અસ્તિત્વ જાળવી રાખવું તે) (૨) પરિણામ (પરિવર્તનો કરવાં તે) (૩) ક્રિયા (સ્થળાંતર આદિ સઘળા કાર્યો) અને (૪) પરત્વ (પહેલા પણ અથવા જૂના પણ) અને અપરત્વ (પછી પણ અથવા નવાપણુ) જાળવવામાં સહાય કરવું તે છે.
(૧) વર્તના - કાળના આધારે દરેક પદાર્થો પોતાનું અસ્તિત્વ જાળવે છે.
तत्र च द्रव्याणां सादि सान्तादि भेदस्थित्यां चतुर्भिदि यत्केनचित्प्रकारेण, વર્તનં, વર્તના હિંસા (શ્રી લોકપ્રકાશ-સર્ગ ૨૮-૭)
અર્થ સાદિ સાન્તાદિ ૪ ભેદો વડે ચાર પ્રકારની અવસ્થામાં દ્રવ્યોનું જે કોઈ પણ પ્રકારે વર્તવું (વિદ્યામન રહેવું) તેને વર્તના કહે છે.
| વિશ્વમાં કોઈપણ વસ્તુ સતત વિદ્યમાન રહી શકે છે. એટલે કે થોડી ક્ષણ પહેલાં, કે ઘણાકાળ પહેલાં જે વસ્તુ હતી, તે જ આ વસ્તુ છે, આવો અનુભવ આપણને થાય છે. એટલે કે તે વસ્તુ સતત સ્થિરરૂપે હજુય