________________
૨૬૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અસ્તિત્વમાં છે. આવું જ જણાય છે, તે વર્તના છે. દા.ત. ચૂલા પર તપેલીમાં ચોખા રાંધવા મૂક્યા હોય, ત્યારે જ્યારથી રાંધવા મૂક્યા હોય ત્યારથી તેમાં ફેરફારો થયા કરે છે, અને પૂરા રંધાઈ જાય ત્યાં સુધીમાં જે ફેરફારો થાય છે. તે દરેક વખતે, આ તે જ ચોખા રંધાય છે, અને આ તે જ ચોખા રંધાઈ ગયા. આ રીતે ચોખાનું સતત અસ્તિત્વ આપણે જાણી શકીએ છીએ. આ “સતત અસ્તિત્વ ધરાવવું” તે વર્તન છે. – (૨) પરિણામ:- રૂપાંતર, પરિવર્તન, ફેરફાર વિગેરે.
કોઈપણ પદાર્થ, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, રૂપાંતર પામે તેને પરિણામ કહેવાય. ઉપરોક્ત ચોખા રાંધવાના દષ્ટાંતમાં જે ફેરફારો - રૂપાંતરો જણાવ્યા તે પરિણામ છે. રાંધવા મૂક્યા ત્યારે ચોખા કડક હતા પછી પોચા થયા, થોડા ફૂલીને વધારે કદના થયા. આ કડકમાંથી “પોચા થવું અને વધારે કદના થવું, એટલે કે સ્પર્શ અને આકારનો ફેરફાર તે પરિણામ છે. તે જ રીતે સ્વાદ, ગંધ વિગેરે પરિવર્તનો તે પણ પરિણામ છે. એટલે કે ટૂંકમાં પરિણામ = કોઈપણ પ્રકારનું રૂપાંતર, પરિવર્તન, ફેરફાર વિગેરે.
હવે આ પરિણામને જીવદ્રવ્યમાં ઘટાવીએ તો, કોઈ જીવ પૂર્વે અજ્ઞાની હતો. પછી જ્ઞાની થયો. ક્રોધી હતો, તે ક્રોધ ઘટતાં ક્ષમાશીલ થયો. પુદ્ગલમાં ઘટાવીએ તો લાલમાંથી પીળો, તીખામાંથી ખાટો વિગેરે રૂપાંતરો તે પરિણામ, સમજવા. જેમ વર્તના, તે રીતે પરિણામ પણ, કાળના આધારે થાય છે. - (૩) ક્રિયા:- સ્થળાંતર કે પરિસ્પંદન
ગતિ પરિસ્પંદન કે સ્થાનાંતર) તે જ ક્રિયા છે. સ્થિર અવસ્થામાંથી હેજપણ ચલિત થવું. ચલન થવું, સતત અને વારંવાર તે જ સ્થાનમાં ચલન થવું તે પરિસ્પંદન ક્રિયા છે. એક સ્થાનેથી બીજા સ્થાને જવું એ સ્થળાંતરક્રિયા છે. તે પણ કાળના આધારે થાય છે.