________________
૨૫૪
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અપ્રશસ્ત દૈષના પ્રતાપે ભાનભૂલા બનેલા યોગ અને સંયોગ એ પર્યાય જેવા પણ છે.” – આ વાતનું ભાન ભૂલી “જીવ સાથે કર્મનો યોગ એટલે સંસાર'- આ વાતનો વિરોધ કરવા ખાતર, એવું કહેવાની પણ મૂર્ખાઈ કરે છે કે, “જીવ સાથે કર્મના સંયોગને સંસાર નહિ કહેતાં, કર્મના યોગને સંસાર કહેનારાઓએ સિદ્ધના આત્માઓને પણ સંસારી માનવા પડશે કારણ કે સિદ્ધના આત્માઓ સાથે પણ કર્મવર્ગણાનો યોગ છે.”
કર્મવશ આત્માને અન્ય પણ અનેક પુદ્ગલો સંસારમાં પરિભ્રમણના કારણરૂપ બને છે. કર્મવશ આત્માઓ સુખના સાધનભૂત પુદ્ગલો પામીને હર્ષાવિષ્ટ બનવા દ્વારા પણ અનેક જાતનાં નવીન અશુભ કર્મોને બાંધે છે, અને દુઃખના સાધનભૂત પુદ્ગલો પામીને દ્વેષાવિષ્ટ બનવા દ્વારા પણ અનેક જાતનાં કર્મોને બાંધે છે.
આત્માને લાગેલા શુભ કર્મો એ પુણ્ય કહેવાય છે, ત્યારે આત્માને લાગેલાં અશુભ કર્મો એ પાપ કહેવાય છે. આથી એ પણ સમજાશે કે પુણ્ય અને પાપ પણ પુદ્ગલાસ્તિકાયનો જ પર્યાય છે. - આત્માને લાગેલા શુભ કર્મો જયારે પોતાની સ્થિતિ-અબાધા કાળ પૂર્ણ થયે ઉદયમાં આવે છે, ત્યારે આત્માને ઈષ્ટ સંયોગ આદિ અનુકૂળ સઘળી સામગ્રીઓ એ પુણ્યકર્મને અનુસરતી મળે છે. અને જ્યારે આત્માને લાગેલા અશુભ કર્મો પોતાની અબાધા કાળની સ્થિતિ પૂર્ણ થયે ઉદયમાં આવે છે, ત્યારે તે કર્મને અનુસાર અનિષ્ટ સંયોગ આદિ પ્રતિકૂળ સામગ્રીઓ મળે છે. આ જાતના પુણ્ય-પાપના સંયોગોમાં સમભાવે રહી, આત્મસ્વરૂપમાં રમતો રમતો સકલ કર્મોનો ક્ષય કરી શ્રીસિદ્ધિપદનો ભોકતા બની શકે છે. સુંદર ભવિતવ્યતા અને કર્મલઘુતાથી શ્રીજિનેશ્વરદેવના વચનો રૂચિકર બને છે -
આવાં નિરુપણોનાં શ્રવણ પણ પ્રાયઃ શ્રી જિનશાસનના ઉપાસક