________________
(૪૪) સૂત્ર - ૨૦ :- પદાર્થ વિજ્ઞાન
તેમ એક કાળ વિના પાંચ, પ્રદેશોના સમૂહાત્મક છે.
જીવ સિવાયના પાંચ જેમ અજીવ છે, તેમ અકર્તા પણ છે અને કાળ વિનાનાં દ્રવ્યો જેમ પ્રદેશોના સમૂહમય છે, તેમ એક પુદ્ગલાસ્તિકાય વિના પાંચ અરૂપી-અમૂર્ત પણ છે. જીવો અમૂર્ત હોવા છતાં સંસારી જીવોને કર્મના સંયોગના પ્રતાપે મૂર્ત પણ કહેવાય છે.
૨૫૩
અસ્તિકાય આદિની અપેક્ષાએ જેમ કોઈમાં ભિન્નતા છે, તેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મકતામાં કશી જ ભિન્નતા નથી : અર્થાત્ છ એ દ્રવ્યો ઉત્પાદ, વિગમ અને ધ્રૌવ્યાત્મક છે.
એ છ દ્રવ્યોમાં પુદ્ગલાસ્તિકાય જે આપણને પ્રત્યક્ષ છે, તે રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી સંયુકત છે. સ્કંધ અને અણુરૂપે હોવાથી બે ભેદે પણ વર્ણવાય છે. સ્કંધોમાં પણ દેશ અને પ્રદેશોની કલ્પના કરી શકાતી હોવાથી, ચાર પ્રકારે પણ પુદૂગલો જ વર્ણવાય છે. પ્રદેશો અને ૫૨માણુઓમાં એટલો જ ભેદ હોય છે કે પ્રદેશો જ્યારે સ્કંધ સાથે સંબદ્ધજોડાયેલા હોય છે, ત્યારે પરમાણુઓ છૂટા છૂટા હોય છે. કર્મ પુદ્ગલોએ આત્માને સંસારમાં ભમતો રાખ્યો છે ઃ
કર્મ, કાયા (શરીર), મંન, ભાષા, ચેષ્ટિતો અને શ્વાસ ઉચ્છ્વાસ આદિ પણ પુદ્ગલોનાં કારણો છે. સુખ, દુ:ખ, જીવિતવ્ય (જીવન) અને મૃત્યુનો ઉપગ્રહ કરનારાં પણ પુદ્ગલો જ હોય છે. અંધકાર, આતપ, ઉદ્યોત અને છાયા આદિ પણ પુદ્ગલાસ્તિકાયના જ વિકારો છે. શબ્દો પણ પુદ્ગલાસ્તિકાયનો જ વિકાર છે. કર્મરૂપ પુદ્ગલોએ જ આત્માને સંસારમાં ભમતો રાખ્યો છે. પુદ્ગલસ્વરૂપે કાર્મણ વર્ગણામાંથી જીવ મિથ્યાત્વ આદિના યોગે પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મો બનાવે છે. એ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મની ઓળખ આપતાં ઉપકારીઓ ફરમાવે છે કે, ‘મિથ્યાત્વ આદિ બંધના હેતુઓ દ્વારા જીવથી જે કરાય, તેનું નામ કર્મ કહેવાય છે.’