SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન અર્થ :- જેવી રીતે હજારો ગાયોમાં વાછરડુ માતાને શોધી કાઢે છે તેમ કર્તાએ કરેલું કર્મ તેને અનુસરે છે - કર્તાને તેનું ફળ અવશ્ય મળે છે. આ વાત એક રૂપકથાનકથી સરસ સમજાય છે. ૨૫૦ એક રાજા. વહેલી પરોઢે એને એક સ્વપ્ન આવ્યું, જેમાં મૃત્યુના દેવતાએ એને ચેતવણી આપી કે - ‘આજે સૂર્યાસ્ત સમયે તારું મોત છે.’ અને એ ભયજનક ચેતવણીની સાથે જ રાજાની ઊંઘ ઊડી ગઈ. એ અકળાયો, શું કરવું તે સૂઝ્યું નહીં એટલે તત્કાળ વજીરને તેડાવ્યો. વજીરે વિચારના અંતે એક યુક્તિ સૂચવી. આપની પાસે પવનવેગી જે પાણીદાર ઘોડો છે તેના પર બેસી સૂર્યાસ્ત પહેલાં, ચાંક એટલે દૂર નીકળી જાવ જ્યાં મૃત્યુ આપને પકડી કે, શોધી ન શકે. રાજાને વાત વાજબી લાગી. વજીરની બુદ્ધિ માટે માન પણ થયું. પાણીદાર ઘોડા પર બેસી, ઘડીનાય વિલંબ વિના એ દોડવા લાગ્યો. ન તરસ, ન ભૂખ, ન થાક, ન સંકટ, કશાનીય પરવા વિના પોતાના રાજ્યની સરહદ વટાવી એ આગળ નીકળી ગયો. ઘોડો અવિરામ દોડ્યે જાય છે. પોતે પસીને રેબજેબ છે. સૂર્યનારાયણ ઢળવાની અણી પર છે. રાજા ‘હાશ !' કહીને ઘોડાને ઊભો રાખે છે અને એક વૃક્ષની નીચે વિશ્રામ કરવાનો વિચાર કરે છે. ઘોડાની પીઠ થાબડી કહે છે : શાબાશ ! તેં મને બચાવી લીધો છે. હવે મને મોતની તો શું કોઈનીય પરવા નથી. હવે હું નિર્ભિક છું.’ ....અને એ શબ્દની સાથે જ એક અદશ્ય પંજો રાજાની પીઠ પર પડ્યો. ‘સાબાશ, મને પણ ચિંતા હતી કે સૂર્યાસ્ત સુધીમાં તું અહીં શી રીતે આવી શકીશ? પણ ઘોડો ખરેખર પાણીદાર છે, એ તને નિશ્ચિત સમય પર બરાબર એ જ જગ્યાએ ઉપાડી લાવ્યો છે, જ્યાં તારું મૃત્યુ નિર્મિત હતું.’ ‘આજે વહેલી પરોઢે મને ખરેખર ચિંતા થયેલી કે તું આટલા ઓછા સમયમાં આટલે દૂર શી રીતે આવી શકશે ? અને એ ચિંતાનો કારણે જ મારે તારા સ્વપ્નમાં આવવું પડ્યું.’ કથાનો સાર સુંદ૨ છે. સમજદારના અંતરમાં છેક ઊંડે સુધી ઊતરી જાય એવો છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy