________________
(૪૩) સૂત્ર - ૨૦ :- જૈનતત્ત્વજ્ઞાનનો કર્મવાદ
૨૪૭
ઘણી ઈજાઓ થઈ, આગળની સીટમાં બેઠેલ બહુ આશ્ચર્યકારક રીતે બચી ગયો. આવી અનેક ઘટનાઓમાં આપણે અનુભવીએ છીએ કે કોઈપણ સારી કે ખરાબ ઘટના ઘટવામાં, કે કાર્યના ફળમાં બાહ્ય જણાતા સઘળા પરિબળો કરતાં પ્રબળ અને નિર્ણાયક એવું, આંતરિક પરિબળ અવશ્ય ભાગ ભજવે છે. તે જ શુભાશુભકર્મ છે.
રોજીંદી દૈનિક ઘટનાઓ અને સર્વસામાન્ય ઘટનાઓમાં બુદ્ધિ, આયોજન, પુરુષાર્થ આદિ જે બાહ્ય પરિબળો છે, તેને અનુસારે જ કાર્યનું ફળ આવતું જણાય છે. તેવા સ્થળે પણ કર્મનું આંતરિક પરિબળ અવશ્ય ભાગ ભજવે છે. પરંતુ તે બાહ્યપરિબળોને અનુકૂળ હોવાથી પ્રગટપણે જણાતું નથી. તેથી આપણે માત્ર બાહ્ય પરિબળોને જ ફળ પ્રાપ્તિમાં કારણ માનવા ટેવાઈ જઈએ છીએ. દા.ત. ભોજન કરવાથી સ્વસ્થતા મળે છે. બુદ્ધિ, આયોજન પૂર્વક ધંધો ક૨વાથી વધુ ધન મળે છે. સારું શિક્ષણ અને વધુ પુરુષાર્થથી જ્ઞાન અને બુદ્ધિ વધે છે વિગેરે. પરંતુ આવી દરેક ઘટનાઓમાં બાહ્ય પરિબળો ઉપરાંત, કર્મ નામનું આંતરિક પરિબળ પણ અનુકૂળ હોય છે, અને તે ફળ પ્રાપ્તિમાં અવશ્ય ભાગ ભજવતું જ હોય છે. પરંતુ જ્યારે પુરુષાર્થ, આયોજન વિગેરે બાહ્યપરિબળોને અનરૂપ ફળ ન આવે, ત્યારે કર્મ નામના આંતરિક પરિબળનું અનુમાન થાય છે, અને વાસ્તવમાં તે નિર્ણાયક હોય છે.
→ કર્મપ્રભાવને સરળતાથી સમજવા અને જીવનમાં તટસ્થભાવ (સમતા) કેળવવા અઢળક કથા સાહિત્ય જૈનશાસ્ત્રોમાં વિદ્યમાન છે.
અનેક શાસ્ત્રોમાં પૂર્વકર્મના ફળને જણાવનારા અઢળક દૃષ્ટાંતો જોવા મળે છે. જૈનશાસ્ત્રો કર્મવાદને મુખ્ય માને છે, એટલે શ્રી તીર્થંક૨ ભગવાનના, કે પવિત્રપુરુષોના ચારિત્રના વર્ણનમાં પૂર્વભવના કર્મોને અનુસારે કર્મસિદ્ધાંતો મુજબ સર્વબાબતો સુસંગત થાય છે, તે સિદ્ધ કરી બતાવે છે. પાંચ સમવાય કારણની સજ્ઝાયમાં—