________________
૨૪૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા આત્મા સાથે એકરસ પામેલા કાર્યણવર્ગણાના પુદ્ગલસ્કંધો છે. જેમ વિષાદિના કે ઔષધાદિના, શરીરને લાભ કે નુકશાન કરનારા, પુદ્ગલદ્રવ્યોના સ્કંધો શરીરમાં ગયા પછી તેની અસર નિપજાવે છે. તે શરીરમાં ફેલાઈ જાય પછી તેની અસરને કોઈ તાકાત રોકી શકતી નથી. તેવી રીતે કાર્યણવર્ગણાના પુદ્ગલોમાં શુભાશુભ ફળ આપવાની શક્તિ, તમારી શુભાશુભપ્રવૃત્તિમાં તમારા ભાવોદ્વારા આવે છે. આ રીતે જોતાં મૂળભૂત રીતે તો આત્મા પોતે પોતાના સુખ, દુઃખ, જન્મ-મરણ આદિનો કર્તા અને ભોકતા તેમજ મોક્ષનો કરનાર પણ આત્મા પોતે જ છે. કર્મ બાંધતાં પહેલા સાવચેતીની જરૂર છે. ઉદયમાં આવ્યા પછી પસ્તાયે શું થાય ? માટે જ કહ્યું કે
બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ?’
→ બુદ્ધિ, કંર્મને અનુસરનારી છે ઃ
જગતમાં સર્વત્ર કર્મનું સામ્રાજ્ય વ્યાપક છે. રામાયણની કથાનું આલેખન અનેક રીતે થયું છે. તેમાં એક રામાયણકથા મુજબ, શ્રી રામચન્દ્રજી સીતાની પ્રેરણાથી સુવર્ણમૃગની શોધમાં ગયા. શ્રીરામચન્દ્રજી જેવાને પણ, ‘સુવર્ણમૃગ કદી ન સંભવી શકે, તેથી અવશ્ય આમાં કપટ છે,’ આવાત સમજમાં ન આવી, અને સુવર્ણમૃગમાં લોભાયા. કારણ કે તેવા પ્રકારનું અનિષ્ટ થવાનું હતું. બુદ્ધિ: ર્માનુસારિની આ વાતને સમજાવવા આ દૃષ્ટાંત અપાય છે. ઘણીવાર જીવનમાં અનુભવાય છે કે, ખરાબ કર્મ ઉદયમાં આવવાનું હોય ત્યારે સારા, સમજુને પણ સમજ ચાલી જાય છે. તો વળી જ્યારે સારું થવાનું હોય ત્યારે, તે મુજબ કોઈ અગમ્ય પ્રેરણા થતી હોય છે. એકવાર એવું બન્યું કે, એક માણસે ઘણાની સાથે પ્રવાસમાં જવાનું નક્કી કર્યું. તે પછી એકાએક છેલ્લા સમયે તેને પ્રવાસમાં જવા માટે મન તૈયાર ન થયું. તેથી જવાનું મૂલત્વી રાખ્યું. તે બસને અકસ્માત થયો. આ રીતે તે બચી ગયો. એક વાર એક બસના અકસ્માતમાં પાછળની સીટમાં બેઠેલાને