________________
૨૩૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
(મૂળ) કારણ નથી. જેવી રીતે ઘડા પ્રત્યે દંડ, ચક્ર, કુંભકાર (કર્તા) વિગેરે સહકારી કારણ છે તેવી રીતે. આ વસ્તુને વિગતથી સમજીએ.
→ સુખ, દુ:ખ :- દા.ત. આત્માને શારીરિક સુખ-સ્વસ્થતા માટે શરીરને પોષક, રોગપ્રતિકારક, શક્તિદાયક, અને પ્રકૃતિને અનુકૂળ ખોરાક આદિ પુદ્ગલો, તેમજ રોગ થાય ત્યારે, રોગ દૂર કરનાર યોગ્ય ઔષધ વિગેરે પુદ્ગલ બાહ્યકારણ તરીકે સહકારી બને છે. તદુપરાંત શાતાવેદનીય કર્મપુદ્ગલો પણ, આંતરિક કારણ તરીકે મહત્ત્વનો ભાગ ભજવે છે. તેવી જ રીતે શારીરિક દુઃખ આદિમાં રોગ કરનારા નિમિત્તો, વાતાવરણ વિગેરે પુદ્ગલદ્રવ્યો બાહ્યકારણ, અને અશાતાવેદનીયકર્મના પુદ્ગલો આંતરિક કારણ તરીકે, ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
:
→ જીવન-મરણ ઃ- મનુષ્યાદિ તે તે ગતિમાં જીવને જીવિત રહેવા માટે શરીરયંત્રના હૃદય વિગેરે મુખ્ય અવયવો કાર્યશીલ રહે તે બાહ્ય કારણ છે, અને ૮માંનું પાંચમું આયુષ્યકર્મ આંતરિક કારણ તરીકે મુખ્યભાગ ભજવે છે. આયુષ્યકર્મ પ્રબળ હોય તો જ શરીરના અવયવો કાર્યશીલ રહી જીવન ટકાવી શકે છે. આયુષ્યકર્મ પૂરું થઈ જાય, તો બાકીના બધા અવયવો સ્વસ્થ હોવા છતાં જીવન ટકાવવામાં નિષ્ફળ જાય છે. આયુષ્યકર્મ પૂરું થયે અવશ્ય મરણ થાય છે. જીવ, શરીર છોડી દે
છે.
:
→ જીવના વિવિધપ્રકારના જીવનો ઃ- સઘળા જીવ એક સમાન સુખ અને શક્તિવાળા હોવા છતાં દેવ, મનુષ્ય, પશુ, નરક, આ ૪ ગતિ અને તેના પેટાભેદ ૮૪ લાખ યોનિઓમાં વિવિધપ્રકારના શરીરો, સ્વભાવો, અને વિચિત્ર પ્રકારના સુખ દુઃખાદિ અવસ્થાઓનો અનુભવ કરવામાં તેવા પ્રકારના પુદ્ગલપદાર્થોનો સંયોગ, એ બાહ્ય કારણ ઉપરાંત આંતરિક કારણ તરીકે કર્મ છે. પૂર્વોપાર્જિત વિવિધપ્રકારના શુભાશુભ કર્મો મુજબ વિવિધ ગતિઓ અને વિવિધ પ્રકારના જીવનો આ જીવને