________________
૨૨૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન જ્યોર્જિયાના વૈજ્ઞાનિકો લીંબુના ઝાડને થતા એક રોગને અશ્રાવ્ય ધ્વનિથી નાબૂદ કરી શક્યા હતા. મનુષ્યોના રોગોમાં પણ ઘીમા અવાજવડે મટાડવાના પ્રયોગોમાં સફળતા મળી છે.
અલ્ટાસોનીક સાઉન્ડ (શાંત અવાજ) વડે સાંધાના દુઃખાવામાં ઉપચાર થાય છે. કહેવાય છે કે, તે લોહીનું ભ્રમણ વધારે છે. તેના તરંગો ગરમીમાં પરાવર્તન થતાં રાહત થાય છે અને કોષોમાં રાસાયણિક ફેરફાર લાભ કરે છે. વર્તમાનમાં વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા કીડનીમાં રહેલ પથરીને અશ્રાવ્ય (ultra sonic sound) ધ્વનિ તરંગો દ્વારા તોડી ટૂકડા કરી શકાય છે. આ રીતે ઉપચાર પણ થાય છે. આ રીતે ધ્વનિતરંગોના અનેક કાર્યો છે, જે ભાષાવર્ગણાના પુદ્ગલ સ્કંધો (Molecules) નો પ્રભાવ છે.
ઘુમ્મટવાળા મકાનમાં અવાજનો પડઘો પડે છે, તે સૂચવે છે કે, અવાજ ભીંત સાથે અથડાઈને પાછો આવે છે. પવનના બહુ તોફાનમાં શબ્દ તરંગો પવનથી હણાઈ જવાથી સ્પષ્ટ સંભળાતું નથી. આ સઘળી વાતો શબ્દ એ પૌદ્ગલિક છે તે વાતને બહુ બુદ્ધિગમ્ય બનાવે છે.
(Jainism the oldest living religion Hiell)
હકીકતમાં એવો કોઈ પણ પ્રકારનો ભૌતિક પુરાવો જોવા મળતો નથી, કે અમુક અમુક સમયે, જૈન ધર્મ વૈદિક ધર્મથી છૂટો પડ્યો અથવા તેમાંથી | વિકાસ પામી રહેલા પાછળના ધર્મમાંથી તે છૂટો પડ્યો, એટલું જ નહિ બંને પદ્ધતિઓ વચ્ચે પાયાના સિદ્ધાંતો અને અગત્યના લક્ષણો વચ્ચે એવી કોઈ સ્પષ્ટ રીતે તરી આવતી સરખામણી જણાતી નથી, કે જેને સંપૂર્ણ અહિંસાત્મક ધર્મ, જીવાત્માઓમાં શ્રદ્ધા, સૂક્ષ્મ અને વિશિષ્ટ કર્મસિદ્ધાંત અને સર્જનહાર અને સર્જન વિષયક સિદ્ધાંત વિગેરેનો અસ્વીકાર કરવાવાળા જૈન ધર્મ સાથે તેને સરખાવી શકાય. એટલે જૈનધર્મ કેવળ મૌલિક પદ્ધતિ છે