________________
(૩૯) સૂત્ર-૧૯ - શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે.
૨૧૯ તેને નાજુક ઉપકરણોથી વિદ્યુતભારની ઉર્જામાં, અને તે વિદ્યુતભારની . ઉર્જાને વિદ્યુતચુંબકીય તરંગોની ઉર્જામાં રૂપાંતર કરી બીજે સ્થળે લઈ જઈને, ફરી શબ્દમાં રૂપાંતર કરવામાં આવે છે. આ સઘળા શબ્દ પુદ્ગલ(ભાષાવર્ગણા)ના ગુણધર્મો છે. તેને પ્રયોગો દ્વારા શોધીને વર્તમાનમાં ઉપયોગમાં લેવાયા છે. આવા પુદ્ગલપદાર્થના અનેક ગુણધર્મો છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં પુગલના પર્યાયો, રૂપાંતરો કહે છે. આધુનિક વિજ્ઞાન તેને પુદ્ગલની શક્તિ કે ઉર્જા કહે છે.
જૈનશાસ્ત્રો મુજબ શ્રોસેન્દ્રિય (કાન) શબ્દને જાણી શકે છે. અત્યંતર (મધ્યકર્ણમાં આવેલ) નિવૃત્તિ ઉપકરણ (નગારા આકારની) ઇન્દ્રિય સાથે ભાષાના પુદ્ગલોનો સંસર્ગ થતાં, તેના તરંગોના પ્રકંપન પરથી, કેવા પ્રકારનો શબ્દ છે તે ઓળખાય છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટથી ૧૨ યોજન દૂરથી આવેલો શબ્દ સંભળાય છે. વાયુ વિગેરેથી જે શબ્દના તરંગોની શક્તિ હણાઈ નથી તેવા શબ્દને સાંભળી શકાય છે. તે પછી તેની શક્તિ હણાઈ જાય છે.
પ્રશ્ન - વર્તમાનમાં હજારો યોજન દૂરનો શબ્દ સ્પષ્ટ સંભળાય છે, તે કેવી રીતે શક્ય બને છે?
સમાધાન :- દૂર રહેલા વક્તાનો બોલાયેલો શબ્દ, ઉપકરણ દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોમાં રૂપાંતર કરીને છોડાય છે. તે તરંગો પ્રકાશની ઝડપથી હવાના માધ્યમ દ્વારા સાંભળનારના સ્થળ સુધી આવી જાય છે. અહીં મોબાઈલ આદિમાં ગોઠવેલા ઉપકરણો દ્વારા વિપરીત પ્રક્રિયાથી તે વિદ્યુતતરંગોનું ફરી શબ્દમાં રૂપાંતર થાય છે. તે નવો ઉત્પન્ન થયેલો શબ્દ એકદમ નજીકથી સંભળાય છે. વળી તે પરિવર્ધિત કરેલો હોય તો વધુ તીવ્ર અને સ્પષ્ટ પણ સંભળાતો હોય છે. ૪૦-૫૦ ફૂટ દૂર રહેલા વક્તાના શબ્દ કરતાં પણ મોબાઈલ આદિમાં સ્પષ્ટ સંભળાય છે તેનું