________________
(૩૯) સૂત્ર - ૧૯:- શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે.
૨૧૭
(૩૯) સૂત્ર - ૧૯ - શબ્દ, એ પુદ્ગલનો પ્રકાર છે.
» શબ્દની ઉત્પત્તિ ભાષાવર્ગણાના પુલસ્કંધોના પ્રકંપનથી થાય
હજારો માઈલ દૂરનો શબ્દ, વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા અહીં
લાવીને, તુરંત સાંભળી શકાય છે. - શબ્દ-ધ્વનિના તરંગોથી શરીરને લાભ અને નુકશાન પણ થાય છે. - ધ્વનિના તરંગોથી માણસ, પશુ અને વનસ્પતિના રોગોમાં ઉપચાર
થાય છે.
(शरीर वाङ्मनः प्राणापनाः पुद्गलानाम् ॥१९॥) શબ્દની ઉત્પત્તિ ભાષાવર્ગણાના પુગલસ્કંધોના પ્રકંપનથી થાય છે :
વિશ્વના સઘળા જીવોના કુલ પાંચ પ્રકારના શરીરો એ પુદ્ગલપદાર્થની વિવિધ રચનાઓ છે. તેઓના વિગતવાર વર્ણન પછી (૨) વાણી (૩) મન અને (૪) શ્વાસોચ્છવાસ, એ પણ પુદ્ગલનો પ્રકાર છે, તે જોઈએ.
(૨) વાણી (શબ્દ, અવાજ) - (જુઓ પૃ. ૯૦, ૯૨, ૨૨૨ અને ૨૭૫) પાંચમી ભાષાવર્ગણાના પુગલ-સ્કંધોમાંથી શબ્દ (વાણીભાષા)ની ઉત્પત્તિ થાય છે. જયારે જીવને મનમાં વિચારેલી વસ્તુ વાણી દ્વારા વ્યક્ત કરવી હોય ત્યારે, ભાષાવર્ગણાના પુગલસ્કંધોને ગ્રહણ કરી ચોક્કસ પ્રકારના પરિસ્પંદનો (પ્રકંપન કે ધ્રૂજારી) નિપજાવીને તે પુદ્ગલોને છોડે છે. જીવનો આ વિશિષ્ટ પ્રયત્ન છે. તેનાથી ભાષા ઉદ્દભવે છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને ભાષાપર્યાપ્તિ પ્રાપ્ત થાય છે. ભાષાવર્ગણાના પુદ્ગલો સર્વત્ર હોય છે. તેમાં જ્યારે વિશિષ્ટ પ્રકંપન ઉત્પન્ન કરવામાં આવે એટલે ભાષા ઉદ્ભવે છે. પાણીમાં પથ્થર