________________
૨૦૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
પારખવાનું ઉપકરણ, અને શક્તિ. (૪) ચક્ષુરિન્દ્રિય = આંખના પડદા (retina)માં આવેલું મસુરની દાળના આકારનું દૃશ્યને પારખવાનું ઉપકરણ, અને શક્તિ. (૫) શ્રોત્રેન્દ્રિય = કાન, મધ્યકર્ણમાં આવેલું શબ્દ-અવાજને પારખવાનું નગારાના આકારનું ઉપકરણ, અને શક્તિ. આ પાંચ ઇન્દ્રિયોની રચના કરે અને ટકાવે તે ઇન્દ્રિય પર્યાપ્તિ.
(૪) શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ : શ્વાસોચ્છ્વાસ નામની છઠ્ઠી વર્ગણાના પુગલોને ગ્રહણ કરી છોડવાનું ઉપકરણ, અને શક્તિ (નાકફેફસાં દ્વારા વાયુ લેવા-મૂકવાનું કાર્ય તે સ્થૂલ શ્વાસોચ્છવાસ છે.) આ પર્યાપ્તિથી દરેક જીવ, વનસ્પતિ વિગેરે પણ, સૂક્ષ્મ શ્વાસોચ્છ્વાસ કરે છે.
(૫) ભાષાપર્યાપ્તિ :- ભાષા, નામની પાંચમી વર્ગણાના પુદ્ગલોને લઈને ભાષારૂપે બનાવી છોડવાનું ઉપકરણ, અને શક્તિ. તેના વડે જીવ ભાષા બોલવા માટે સમર્થ બને છે.
(૬) મનપર્યાપ્તિ :- મનોવર્ગણાના નામની સાતમી વર્ગણાના પુદ્ગલો લઈને મનરૂપે (વિચાર) બનાવી છોડવાનું ઉપકરણ, અને શક્તિ. તેના વડે જીવ વિચારવાની શક્તિ પ્રાપ્ત કરે છે.
પર્યાપ્તિનામકર્મ નામના પુણ્યકર્મથી જીવને શરીરમાં આ છ પર્યાપ્તિ પ્રાપ્ત થાય છે. આ સઘળા કાર્યો, આત્મા અને તૈજસશ૨ી૨ના સંમિશ્રમણથી શરીરમાં થયા કરે છે. તેમાં સુંદરતા-અસુંદરતા તેની રચનામાં કાર્યક્ષમતા કે, તેમાં ખામી તેની સ્વસ્થતા વિગેરેમાં નિયામક તરીકે શુભાશુભ કર્મો નિર્ણાયક ભાગ ભજવે છે. રોગનો ચેપ વિગેરે પરિસ્થિતિ સહાયક કારણ બને છે. વનસ્પતિ, કીડા આદિથી માંડી પશુ, મનુષ્ય, દેવ, નરક, દરેક જીવોના શરીરની સંરચના, વિકાસ અને જીવનક્રિયા વિગેરે તેના નિશ્ચિત કારણો મુજબ સતત ચાલ્યા કરે છે. શરીર પણ આખરે જીવનું બંધન છે. સાધના કરી કર્મથી મુક્ત બને, તો શરીરરહિત આત્મા, આત્મિક સુખ અને પરિપૂર્ણ ચેતનાને પૂર્ણપણે માણી શકે.