________________
(૩૬) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર-પર્યાપ્તિઓ.
૧૯૭
એક કોષીજીવ છે. ઊંચા પ્રાણીઓમાં એક કોષમાંથી વૃદ્ધિ પામીને અનેક કોષો પેદા થાય છે. આ અનેક કોષો એકબીજાની સાથે જોડાઈને પ્રાણીના અંગોપાંગો આદિ શરીરનો વિકાસ કરે છે. જીવંત શરીરના વિકાસ માટે પ્રોટીન મુખ્ય ઘટક છે. જેના ઘણા (૨૦) એકમ (પ્રકાર) છે. દા.ત. હિમોગ્લોબીન નામનું પ્રોટીન થોડા લોહના અણુઓ ધરાવે છે. તેનું કાર્ય શ્વાસમાં લીધેલી હવામાંથી ઓક્સીજન શોષવાનું તેમજ શરીરના વિવિધ ભાગોમાં ઓક્સીજન પહોંચાડવાનું છે. તેનાથી જીવનક્રિયાઓ જળવાય છે. પ્રોટીનમાં ખાસ પ્રવર્તકબળ હોય છે, જે શરીરની પેશીઓમાં વિદ્યમાન હોય છે. જે પ્રોટીનને ખાસ કાર્ય કરવા માટે ઉપયોગી બનાવે છે. તેને તેઓ DNA અને RNA નામના રસાયણોથી ઓળખાવે છે. આ રીતે આધુનિક વિજ્ઞાને શરીર રચના અને વિકાસ માટેની ભૌતિક પ્રક્રિયાદિને, તેની પરિભાષામાં સમજાવી છે. જૈન તત્ત્વજ્ઞાન તેમજ પ્રાચીન શરીરશાસ્ત્રોમાં પણ અલગ પરિભાષા દ્વારા આવી ભૌતિક પ્રક્રિયા સમજાવી છે. વનસ્પતિ અને કીડા વિગેરેની યોનિમાં અને મોટા પ્રાણીઓમાં ઈંડા, ગર્ભ આદિના ફલીકરણ દ્વારા અમુક નિશ્ચિત ભૌતિક ક્રિયા થાય છે, આ સઘળી પ્રક્રિયાઓમાં નિયંત્રણ કરનાર જીવનું કર્મ છે.
જીવે ગ્રહણ કરેલા ખોરાકમાંથી કોષોનું પુનરુત્પાદન અને વિકાસ થાય છે, અને શરીરમાં નવાકોષો રચાઈને યથાયોગ્ય ગોઠવાય છે. આ સઘળી કાર્યવાહી તૈજસશરીરની સહાયથી, કર્મના નિયંત્રણ પૂર્વક, જીવ કરે છે. કર્મરહિત શ્રીસિદ્ધપરમાત્માના જીવોમાં કોઈ ભૌતિકક્રિયા હોતી નથી. સંસારીજીવ કર્મ સહિત છે, તેથી વિવિધપ્રકારની ભૌતિક ક્રિયાઓ સંભવે છે. એક સમાન પોષણ હોવા છતાં સઘળા શરીરોનું બળ, બાંધો, મજબૂતાઈ, સ્વસ્થતા, નિરોગીતા વિગેરે શા માટે એક સમાન રીતે પ્રાપ્ત નથી કરી શકતા ? ‘જીવ’ અને ‘કર્મ’ જ આમાં નિયામક તત્ત્વ તરીકે માન્યા છે. નાના નાના કીડા, કીડી, માખી, મચ્છર, તીડ, પતંગિયા વિગેરે