________________
૧૯૮
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
જીવજંતુઓ અને મનુષ્ય પશુઓ વિગેરે સઘળા પ્રાણીઓમાં, એક સમાન આત્મદ્રવ્ય હોવા છતાં, મનુષ્ય વિગેરેના વિશિષ્ટ શરીરો, તેના અંગોપાંગોની વિશિષ્ટ રચના, તેઓના જુદા જુદા કાર્યોનું સંચાલન વિગેરેમાં કર્મનું પરિબળ મહત્ત્વનું છે.
માનવીય પ્રયત્નો દ્વારા આ અદ્ભુતકોટિના શરીરયંત્રની રચના કરવી શક્ય નથી. એ કરામત કર્મની છે ઃ
અલ્પવિકસિત જીવજંતુઓ કરતાં મનુષ્ય, પશુ, નરક, દેવ વિગેરેને, પરિભાષામાં સંજ્ઞી (મન સહિત) પંચેન્દ્રિય કહ્યા છે. સંશી પંચેન્દ્રિય મનુષ્ય વિગેરેના આત્માઓને વિશિષ્ટ કોટિના પુણ્યકર્મથી ભૌતિક સુખોને જાણવા-માણવાના, અને જગતને સમજવા-વિચારવાનાં સામર્થ્યવાળી, અદ્ભુત કહી શકાય તેવી, શરીરની સંરચના પ્રાપ્ત થાય છે. આજે શરીર વિજ્ઞાન અને તેની મરામ્મત માટેના યાત્રિક જગતમાં આશ્ચર્યભૂત ક્રાન્તિ થઈ છે. કલ્પી ન શકાય તેવા શરીરના એકે એક અંગોના રોગો, તેના નિદાન, અને ઓપરેશન વિગેરે ઉપચારના અઢળક સાધનોનો વિકાસ થયો છે, તે જોઈ શકાય છે. તેમ છતાં તેમાં કેટલી ખામીઓ છે. તેની આડઅસરો ઘણીવાર કેટલી બધી ભયાનક હોય છે. તે પ્રત્યક્ષ છે. ઘણી દવાઓ અત્યંત પ્રતિબંધિત છે. શા માટે ? ખામીવાળી છે માટે જ ને ? પેઇન કીલર જેવી દવાઓ શરીરયંત્રને નુકશાનકારી અને જીવલેણ પણ છે. વળી તે દવાઓને વિકસાવવા માટે પ્રાણીઓ ઉ૫૨ પ્રાણઘાતક અને નિર્દય પ્રયોગો કરવામાં આવે છે. તેના અહેવાલો કોઈના પણ કાળજાને કંપાવી દે તેવા છે. ઘણી દવાઓ પ્રાણીઓના અંગમાંથી બનાવવામાં આવે છે. પ્રાચીન ઔષધ અને વાઢ-કાપ શાસ્ત્ર પણ ખૂબ વિકસિત હતું, અને રોગોના મૂળગામી ઉપચારો કરનારું અને આડ અસરો વિનાનું હતું. તેને તે તે વિષયના પ્રાચીન શાસ્ત્રોના ઉલ્લેખો પરથી જાણી શકાય છે.