________________
૧૯૬
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૩૬) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો
દારિક શરીર-પર્યાપ્તિઓ.
- “જીવ’ અને કર્મ જ ભૌતિક શરીરની રચનામાં નિયામક છે. - માનવીય પ્રયત્નો દ્વારા અભુત કોટિના આ શરીરયંત્રની રચના
કરવી શક્ય નથી. એ કરામત કર્મની છે. - શરીરને જીવંત અને સ્વસ્થ રાખવાના તમારા હજારો પ્રયત્ન, છતાં
હુકમનું પાનું કર્મસત્તાના હાથમાં છે. છ પર્યામિ એ, જીવનક્રિયાઓ માટેના શરીરમાં રહેલા ઉપકરણો
(शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् ॥१९॥) જીવ અને કર્મ જ ભૌતિક શરીરની રચનામાં નિયામક છે -
વિશ્વના દરેક જીવને કુલ પાંચ પ્રકારના શરીર હોય છે. તેમાંથી પ્રથમ ઔદારિકશરીરની રચના કેવી રીતે થાય છે, તે જોઈ રહ્યા છીએ. આ વિષયમાં આધુનિક વિજ્ઞાનની માન્યતા શું છે, તેનો પૃ. ૭૩થી ૭૬માં સામાન્ય ઉલ્લેખ કર્યો હતો. તેઓ તૈજસશરીરને વિદ્યુત ઉર્જા તરીકે સ્વીકારે છે. પરંતુ કાર્મણશરીર અને આત્માના વિષયમાં ભૌતિકતારણો કંઈ જણાવતા નથી. તેનું કારણ પણ છે કે, તે બંને શાસ્ત્ર મુજબ અદશ્ય અને અરૂપી છે. પ્રયોગોથી જાણી શકાતા નથી. વૈક્રિય (દેવોનું) અને આહારક (૧૪ પૂર્વધર મુનિનું) શરીર પણ વિજ્ઞાનની પહોંચ બહાર છે. જે વિદ્યમાન છે તે મનુષ્ય, વનસ્પતિ અને પશુઓના શરીરની રચના વિષે તેઓના સંશોધનો છે. તેઓ શરીરની રચનાને ભૌતિક શાસ્ત્ર, અને રસાયણશાસ્ત્રના નિયમોથી સમજાવે છે. અમીબા એ