________________
(૩૫) સૂત્ર - ૧૯:- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીરની જટિલ રચના. ૧૯૩ આવી અવ્યક્ત શક્તિઓ અનાદિકાળથી સંસારી જીવમાં પડેલી છે. તેના પ્રેરકબળ દ્વારા પ્રથમ સમયથી જ જીવ શરીરના પ્રારંભિક બંધારણને રચવાની ક્રિયા કરે છે.
પ્રથમ સમયે “ઓજાહાર” વડે બનાવેલા પ્રાથમિક શરીર દ્વારા, અને કર્મદ્વારા જીવને પ્રાપ્ત થયેલી વિશિષ્ટ શક્તિદ્વારા, આસપાસમાં રહેલા ઉપયોગી પુગલસ્કંધોને ગ્રહણ કરે છે. જેમ અગ્નિદ્વારા રસોઈ પાકે છે. તેવી રીતે તૈજસશરીર, ગ્રહણ કરેલા પુદ્ગલોને પરિણાવીને (રૂપાંતર કરીને) શરીર સાથે એકમેક થવા યોગ્ય કરે છે. આ મનુષ્યના શરીરને ઉદ્દેશીને સમજવું. ઇંડા, જરાયું, પોતજ વિગેરે પશુ-પક્ષીના અને દેવોના વૈક્રિય શરીર માટે તે તે શરીરને પ્રાયોગ્ય પુગલસ્કંધો ગ્રહણ કરે છે.
મનુષ્યના જીવને આ રીતે ગર્ભ અવસ્થામાં ૯ મહિના પસાર કરવા પડે છે. સુંદર દેખાતું અને મોહ પમાડતું આ શરીર, કેવી ગંદકીમાંથી રચાય છે? ઘોર અંધારી કોટડીમાં જયાં બીજું કોઈ સહાય કરનાર નથી. દુઃખો અને મૂંઝવણોમાં કોઈ પોકાર કરી શકાય, કે રડીને પણ દુઃખ ઓછું કરે તેવી કોઈ સાધન-શક્તિ હજુ વિકસ્યા નથી. આવી અવસ્થામાં ઊંધા મસ્તકે ૯ મહિના લટકીને પસાર કરે છે. મન સહિત હોવાથી જીવ વ્યક્તપણે આ સઘળા દુઃખોને જાણે છે અને અનુભવે છે. એક કવિએ એક સુંદર સજઝાયમાં ગર્ભાવાસના દુઃખોને વર્ણવ્યા છે.
હું તો નટવો થઈને નાટક એવા નાચ્યો હો જિનવરિયા, પહેલા નાચ્યો પેટમાં માતાના બહુવાર, ઘોર અંધારી કોટડી, કોણ સૂણે પોકાર. જિહાં માથું નીચું ને, છાતી મારી ઊંચી હો જિનવરીયા. ૧ હાડમાંસનો પિંજરોને ઉપર મઢીયો ચામ, મળમૂત્ર માંહે ભર્યો, માન્યો સુખનો ધામ, જિહાં નવનવમહિના, ઊંધે મસ્તકે લટક્યો હો જિનવરીયા. ૨