________________
(૩૫) સૂત્ર - ૧૯ - જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીરની જટિલ રચના. ૧૯૧ કહે છે. પંચેન્દ્રિય જીવો સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારના હોય છે. સઘળા સંમૂચ્છિમ કે અસંશી (મુંબીજ અને સ્ત્રીબીજથી થનારા ગર્ભ કે ઇંડા વિગેરેની પ્રક્રિયા વિના ઉત્પન્ન થનારા) જીવો (પૃથ્વી, પાણી વિગેરે અને કડા, પતંગિયા વિગેરે)ની શરીર રચના બહુ જટિલ હોતી નથી. લાખો જીવોમાંથી અતિપ્રબળ પુણ્યકર્મવાળો જીવ, ગર્ભની પ્રક્રિયામાં આગળ વધીને, વધુ શરીર વિકાસ કરીને જન્મે છે -
જીવોને સંશી (મનસહિત) પંચેન્દ્રિયશરીર, અતિવિશિષ્ટ પુણ્ય (શુભ) કર્મના પરિપાક (ઉદય)થી પ્રાપ્ત થાય છે. આવા જીવો જે ઔદારિક શરીર બનાવે છે તે, પુરુષબીજ, અને સ્ત્રીબીજના સંયોગથી ફલિત થનારા ગર્ભ કે ઈંડા આદિની પ્રક્રિયા દ્વારા રચાતા હોય છે. તે બેનો સંયોગ થતાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાય તો, તેવા પ્રકારના અતિવિશિષ્ટ પુણ્યકર્મવાળો જીવ, પૂર્વજન્મના શરીર અને સ્થળનો ત્યાગ કરીને, ઉત્પત્તિના સ્થાને આવીને, તેના બીજની યોનિમાં પ્રવેશ કરે છે. તે પછી (પૃ. ૧૮૭) “ઓજાહારથી ત્યાં રહેલા પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી પર્યાપ્તિ પુરી કરી શરીર રચનાનો સૂક્ષમ પ્રારંભ કરી દે છે. દા.ત. માતાના ગર્ભમાં ફલીકરણની પ્રક્રિયામાં અમુક નિશ્ચિતકાળ (૧૨ મુહૂર્ત, આશરે ૧૦ કલાક)માં તેને પ્રાયોગ્ય પુણ્યકર્મવાળો જીવ આવી જાય, તો ફલીકરણની પ્રક્રિયાથી પ્રથમ સૂક્ષ્મ શરીર બનાવીને, તે પછી જીવ, કમસર શરીરનો વિકાસ કરે છે. વીર્ય અને રજ મળવાથી રથી ૯ લાખ જીવોની ઉત્પત્તિ ત્યાં થઈ શકે છે. જો બધા જ જીવો ફલીકરણની પ્રક્રિયામાં પોતાના શરીરનો વિકાસ કરી શકે તો, રથી ૯ લાખ મનુષ્યો પેદા થઈ શકે. પરંતુ તેવું બનતું નથી. મોટે ભાગે જીવો ઉત્પન્ન થઈ, તેવા પ્રકારનું વિશિષ્ટ પ્રબળ પુણ્યકર્મ નહિ હોવાથી, નાશ પામે છે. આગળ શરીરનો વધુ વિકાસ કરી શકતા નથી, તેથી મૃત્યુ પામે છે. જે કોઈ જીવ અતિપ્રબળ પુણ્યકર્મવાળો હોય, અને તેના માતાપિતાનું પણ વિશિષ્ટ પુણ્યકર્મ, ઋણાનુબંધ આદિ હોય, આવો સુમેળ સર્જાય ત્યારે એક, બે