SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) સૂત્ર - ૧૯ :- જીવોના પાંચ શરીરો-ઔદારિક શરીર ૧૮૯ તેઓને સમૂચ્છિમ (સુષુપ્ત જેવા) જીવો કહેલા છે. જેમકે બીજમાં જીવ છે, પણ તેને જમીનમાં વાવો એટલે, ભેજ વિગેરે અનુકૂળ સંયોગો પ્રાપ્ત થતાં, તેવા પ્રકારના કર્મવાળો જીવ, અંકૂરો ફૂટવા આદિ અવ્યક્ત ચેતના દ્વારા વિકાસ કરે છે. ગંદકીમાં મચ્છરો પેદા થઈ જાય છે. દરેક જીવને પોતાનું જીવન સૌથી વધુ પ્રિય છે, માટે જીવહિંસા મોટું પાપ છે ઃ : આ સર્વે જીવોને જીવવાની ઇચ્છા એક સમાન છે. તેઓને ભલે મન નથી પણ ઇચ્છા, બુદ્ધિ, તર્ક, લાગણી, સમજ, ખુશી, નાખુશી, ભય, મૈથુન, પરિગ્રહ, આહારની તીવ્ર ઇચ્છાઓ વિગેરે અવ્યક્તપણે, છતાં સક્રિયપણે અવશ્ય વિદ્યમાન હોય છે. જે વિકસિત શરીર રચનાનું સાધન નહિ હોવાથી બહુ વ્યક્ત રીતે નથી જણાતી. તેમ છતાં સૂક્ષ્મનિરીક્ષણોથી બહુ આશ્ચર્યકારક રીતે તે નોંધી શકાય છે. જે દિશામાં આજે ખૂબ સંશોધનો પણ થયેલાં છે. તે દરેક જીવને જીવવાની ઇચ્છા એક સમાન છે. આ સૂક્ષ્મ દરેક જીવોને પોતાની લાગણી, ઇચ્છાઓ, સુખો અને પોતાનું જીવન સૌથી પ્રિય છે. માટે જ તેઓની હિંસા ક૨વાથી તેઓનું જીવન આદિ સર્વસ્વનો તમે નાશ કરો છો. તેથી તે મોટું પાપ છે. અશુભભાવથી બીજા જીવને આપેલી પીડાનું ફળ તમને પાછું મળવાનું જ છે. શ્રી તીર્થંકર ભગવાન જ્ઞાનથી સઘળું જાણીને આપણને પાપ કર્મથી બચાવવા કોઈપણ જીવની હિંસાથી બચવા ઉપદેશ આપે છે. આ રીતે તેઓ જગતના સઘળા જીવોની કાળજી રાખે છે. જગતના સઘળા જીવોની ભાવકરુણા, એ અર્હદ્વાત્સલ્ય ભાવ છે. તેના પ્રભાવે તે આત્માઓ તીર્થંકર પદવી પ્રાપ્ત કરે છે. આ ભરત ક્ષેત્રમાં એક નિશ્ચિત કાળખંડમાં આવા ઉત્તમકોટિના પરમ દયામય ભાવને આત્મસાત્ કરનારા ૨૪ આત્માઓ જ તીર્થંકર બને છે. આ શાશ્વત નિયમ, કુદરતી વ્યવસ્થા છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy