SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ૧૮૮ પછી જીવનકાળ દરમિયાન તેનો વિકાસ આદિ થતા રહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આદિમાં જીવોને બહુ જ અલ્પ આયુષ્ય અને સૂક્ષ્મશરીર હોય છે. તો પણ દરેક જીવો ઉપર બતાવી તે શરીર બનાવવાની ક્રિયા કરે છે. વૃક્ષ વિગેરેના મોટા શ૨ી૨ો પણ બીજ અવસ્થામાં ફલિત થાય છે ત્યારે પ્રથમ અંકુરા રૂપે થઈને, પછી ક્રમસર આહાર ગ્રહણ કરતાં કરતાં શરીરનો વિકાસ કરી મૂળ, થડ, શાખા, પાંદડા, ફૂલ, ફળ અને બીજ આદિના વિસ્તારને વધારે છે. પૃથ્વી, અગ્નિ, વાયુ અને સૂક્ષ્મ વનસ્પતિના જીવો જે સૂક્ષ્મ, અને અતિસૂક્ષ્મ શ૨ી૨વાળા છે. તે જીવોના કરતાં જે પ્રત્યેક વનસ્પતિ (વૃક્ષાદિ)ના જીવો, તેમજ પશુ, પક્ષી, જળચર આદિ મોટા, અતિમોટા અને ખૂબ વિશાળકાય હોય છે, તેનું કારણ પણ તે જીવોનું પૂર્વ ઉપાર્જન કરેલું તેવા પ્રકારનું વિશિષ્ટ કર્મ છે. પૃથ્વી આદિના આ જીવો એકેન્દ્રિય (એક જ સ્પર્શ ઇન્દ્રિય-ચામડીવાળા) કહેવાય છે. પૃથ્વી આદિ, અને વિવિધ અનેક પ્રકારની વનસ્પતિ આદિના જીવો તેઓની નિશ્ચિતયોનિઓમાં જ જન્મીને જીવનક્રિયા આગળ વધારે છે. સંજ્ઞી અને અસંજ્ઞી જીવો ઃ બેઇન્દ્રિય (અળસિયા, શંખ આદિ), તેઇન્દ્રિય (કીડી મકોડા આદિ), ચરિન્દ્રિય (માખી, મચ્છર આદિ), અસંજ્ઞી (મન વગરના) પંચેન્દ્રિય, અને સંક્ષી (મનવાળા) પંચેન્દ્રિય પશુ, પક્ષી, જળચર, મનુષ્ય, દેવ આદિ જીવો ક્રમસર પૂર્વે ઉપાર્જન કરેલા વિશિષ્ટ વિશિષ્ટ પુણ્યકર્મથી તેઓની નિશ્ચિત યોનિઓમાં જન્મીને તેવા પ્રકારના શરીર બનાવે છે. જે જીવો અસંશી (મનવગરના) છે, તે સઘળા જીવો પુરુષ બીજ (વીર્ય), અને સ્ત્રી બીજ (રજ)ના સંયોગ વિના, તેઓની નિશ્ચિત યોનિઓમાં ઉત્પન્ન થાય છે. બીજ વિગેરે તે યોનિઓમાં, તેવા પ્રકારના સાનુકૂળ દ્રવ્યોનો સંયોગ, ભેજ વિગેરે પરિસ્થિતિ સર્જાતાં ઉત્પન્ન થાય છે. તેઓને મન હોતું નથી. ચેતના અલ્પ વિકસિત હોય છે તેથી
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy