________________
(૩૨) સૂત્ર - ૧૭ :- આગમ અને તર્ક
૧૭૫
(નિમગ્નાનદી) :- દક્ષિણભરતક્ષેત્રના મધ્યભાગથી પશ્ચિમ દિશાએ રહેલી તમિસ્રાગુફાના દક્ષિણદ્વારથી ગુફાની અંદર ૨૧ યોજન દૂર જઈએ ત્યાં, પહેલી ‘ઉન્મન્ના' નદી, ૩ યોજન ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળી, અને ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ યોજન લાંબી છે. તે તમિસ્રાગુફાના પૂર્વદિશાના કડાહ (શિલામય ભીંત)માંથી નીકળી પશ્ચિમ દિશાના કડાહમાં થઈ સિંધુ નદીને મળે છે. આ નદીમાં તૃણ, કાષ્ઠ, પત્થર આદિ જે વસ્તુ પડે તે ભારે હોય તો પણ નીચે ડૂબી જતી નથી, પરંતુ ઉપર તરતી રહીને પાણીના મોજાથી ૩ વાર અફળાતી નદીના કિનારા પર આવી જાય છે, પણ પાણીમાં રહેતી નથી. માટે એનું નામ (મગ્ન =ડૂબેલી. તેને ઉત્ ઉપસર્ગ લાગવાથી વિપરીત અર્થ થતો હોવાથી =) ઉપર રહેતી વસ્તુવાળી ‘ઉન્મના’ સાર્થક નામ છે. આ નદીથી ૨ યોજન ઉત્તર તરફ એવી જ બીજી નદી છે, તેનું નામ ‘નિમગ્ના’ છે. તે નદીના જળનો સ્વભાવ એવો છે કે તેમાં તૃણ, કાષ્ઠ પત્થર આદિ સર્વે જે કંઈ હલકી હોય તો પણ ૩ વાર હણાઈને નીચે ડૂબી જાય છે, તરે નહિ (નિમજ્જતિ એટલે ડૂબવું) તેથી તેનું નામ નિમગ્ના સાર્થક છે. આવી જ રીતે પૂર્વદિશામાં ખંડ પ્રપાતા ગુફામાં પણ આ નામની આવી બે નદીઓ છે. તે ગંગા નદીને મળે છે. અહીં પણ આ ક્ષેત્રને કા૨ણે પાણીનો વિશિષ્ટ ગુણધર્મ જાણવો.
(૪) સમુદ્રના પાણીના વિવિધપ્રકારના સ્વાદ :- આ લવણ સમુદ્રનું પાણી સહજથી જ ખારુ, (લવણયુક્ત). તેમજ તે પછીના અસંખ્ય સમુદ્રોનું પાણી સહજથી જ દૂધ, ઘી, દહીં, શેરડી, દારૂ વિગેરે ભિન્ન ભિન્ન સુંદર સ્વાદવાળું છે. તે તે ક્ષેત્રના સ્વભાવને કારણે પાણીનો સ્વાદ જાણવો.
(૫) ભૌતિક પદાર્થ અદૃશ્ય અને વજન રહિત બની જાય ઃ- પૃ. ૫૧થી ૫૪ ઉ૫૨ જણાવ્યા મુજબ ‘સૂક્ષ્મ પરિણામ' પામવાના આશ્ચર્યકારી ગુણધર્મથી દ્રવ્ય તેવા તેવા વિપરીત સ્વભાવવાળું જાય છે.
(૬) મનુષ્યોના શરીર, બળ, આયુષ્ય ભાવો વિગેરે, તેમજ પુદ્ગલના