________________
- ૧૬૧
(૨૯) સૂત્ર - ૧૬:- આત્માનું સંકોચન અને પ્રસારણ નથી. કારણ કે ચારેય કર્મો એક સાથે રવાભાવિક રીતે જ (૧૪મા ગુણસ્થાનકને અંતે) પૂરાં થઈ જાય છે. આ એક સૂક્ષમ અને અદશ્ય પ્રક્રિયા છે, પરંતુ અંતિમ નિર્વાણપદ, અને ક્રમસર કર્મક્ષયની પ્રક્રિયા કેવી રીતે થાય છે, તે આનાથી સમજી શકાય છે. તે ક્રિયા પણ સાહજિકપણે થનારી છે. આત્મામાં થતી આવી અઢળક પ્રક્રિયાઓ શાત્રે બતાવી છે જે ખરેખર આશ્ચર્યકારી છે.
- ઈ. ડબલ્યુ હોખીન્સ- બૌદ્ધો નિગંઠો વિષે તેઓનો સંપ્રદાય નવો અથવા તેમના સુપ્રસિદ્ધ સ્થાપક નાતપુર તેઓના મૂળ સંસ્થાપક છે, એવો કોઈ દિવસ ઉલ્લેખ કરતા નથી, જે ઉપરથી જેકોબી કુશળતાપૂર્વક દલીલ કરે છે કે, તેમના સાચા સંસ્થાપક મહાવીર કરતાં વધારે જૂના હતા, અને આ સંપ્રદાય બૌદ્ધ ધર્મ કરતાં આગળથી શરૂ થયેલો. આમ વાસ્તવિક દૃષ્ટિએ પ્રાધ્યાપક મેક્સ મુલર, ઓલ્ડન બર્ગ, સર મોર્નીયર વીલીયમસ, સર ડબલ્યુ, ડબલ્યુ, હન્ટર, હારવે, વ્હીલર, ડૉ. આર.જી. ભંડારકર, ડૉ. કે. પી. જયસ્વાલ, બી. જી. તિલક વિગેરે પૂર્વાત્ય અને પાશ્ચાત્ય, એમ સર્વે અર્વાચીન વિદ્વાનોમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ કરતાં વધારે પૂરાણો છે, એ વિષે શંકા નથી.
ઉપરાંત, મહાવીર પહેલાં બસો પચાસ વર્ષ પૂર્વે પાર્શ્વનાથ ભગવાન (ઈ.સ. પૂર્વે ૮૭૭-૭૭૭)નો ઇતિહાસ જૂનો છે, અને તેઓ જૈનોના તેવીસમાં તીર્થકર હતા, એ હકીકત સર્વેએ એકી અવાજે સ્વીકારી છે. તેઓ કાશીના રાજા અશ્વસેનના પુત્ર કાશ્યપ વંશ, એટલે ઉરગ વંશના, અને ઐતિહાસિક વ્યક્તિ સમ્રાટ બ્રહ્મદત્તના વંશ હતા. આ બ્રહ્મદત્ત જૈન પ્રણાલિકા પ્રમાણે બાર ચક્રવર્તીઓમાં છેલ્લા હતા.
જેકોબી કહે છે, “હાલમાં સર્વે જણા પાર્થ ઐતિહાસિક વ્યક્તિ હતી, એવો મહદ્ અંશે સ્વીકાર કરે છે.” (જૈન સૂત્રો VLV પ્રસ્તાવના)